કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક્ઝિટ પોલને બનાવટી ગણાવીને પોતાના કાર્યકરોને સતર્ક અને સાવધાન રહેવા માટે સલાહ આપી છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ મંગળવારના દિવસે ઓડિયો મેસેજ જારી કરીને કાર્યકરોને કહ્યું હતું કે, સમાચાર ચેનલ દ્વારા રજૂ કરવામાં આવેલા એક્ઝિટ પોલ તરફ ધ્યાન ન આપે. કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે, એક્ઝિટ પોલના તારણો ખોટા સાબિત થશે. કારણ કે પાર્ટીના નેતાઓએ જોરદાર મહેનત કરેલી છે. ઉત્તરપ્રદેશમાં સપા, બસપા અને આરએલડી ગઠબંધનના ઉમેદવારના સમર્થકો ૧૧મી એપ્રિલથી જ સ્ટ્રોંગરુમ ઉપર નજર રાખી રહ્યા છે. બિહારમાં પણ જુદા જુદા પક્ષોના ઉમેદવારોના એજન્ટો ઇવીએમ ઉપર નજર રાખી રહ્યા છે. જો કે, ચૂંટણી પંચે કોઇપણ પ્રકારના ચેડાની શક્યતાને નકારી કાઢી છે. રાહુલે ટિ્વટ કરીને કહ્યું છે કે, આગામી ૨૪ કલાક ખુબ જ મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે. એક્ઝિટ પોલના દુષ્પ્રચારથી નિરાશ થવાની જરૂર નથી.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ