Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કામાં ૬૦ ટકાથી વધુ મતદાન નોંધાયું

છેલ્લા દોઢ મહિનાથી ચાલી રહેલી લોકસભાની ચૂંટણીની પ્રક્રિયા આજે સાતમાં તબક્કાના મતદાનની સાથે જ પૂર્ણ થઇ હતી. હવે ૨૩મી મેના દિવસે સત્તાની ચાવી કોની પાસે આવશે તે અંગે ફેંસલો થશે. ૧૭મી લોકસભાની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા ચૂંટણી કાર્યક્રમની જાહેરાત થયા બાદ શરૂ થઇ હતી. ૧૦મી માર્ચના દિવસે લોકસભા ચૂંટણી માટે કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ આ લાંબી પ્રક્રિયા શરૂ થઇ હતી. કુલ સાત તબક્કામાં મતદાન યોજાયું છે. આજે સાતમાં અને અંતિમ તબક્કામાં બંગાળ અને પંજાબમાં હિંસાના છુટા છવાયા બનાવો વચ્ચે ૬૦થી ૬૫ ટકા વચ્ચે મતદાન થયું હતું. ચંદીગઢ અને સાત રાજ્યોને આવરી લેતી લોકસભાની ૫૯ સીટ માટે આજે ૬૦થી ૬૫ ટકા વચ્ચે મતદાન થયું હતું. અંતિમ તબક્કામાં ૧૦.૦૨ કરોડ મતદારો હતા જે પૈકી ૬૦થી ૬૫ ટકા મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ૯૧૮ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. ૧૧૨૯૮૬ મતદાન મથકો ઉપર મતદાનની પ્રક્રિયા યોજાઈ હતી. સાતમાં અને અંતિમ તબક્કામાં શાંતિપૂર્ણ મતદાનની ખાતરી કરવા માટે તમામ પગલા લેવામાં આવ્યા હતા. અંતિમ તબક્કામાં મતદાન દરમિયાન અગાઉના તબક્કાની જેમ શાંતિપૂર્ણ મતદાનની ખાતરી કરવા માટે પંચે તમામ તૈયારી કરી લીધી હતી. સાતમા તબક્કાની ચૂંટણીમાં ૧૬૩ ઉમેદવાર રાષ્ટ્રીય રાજકીય પક્ષોના હતા જેમના ભાવિ આજે ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. ૬૯ ઉમેદવારો રાજ્ય સ્તરના પક્ષોના છે. આ તમામ ઉમેદવારના ભાવિ પણ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. આ તબક્કામાં ૩૭૨ ઉમેદવારો નોંધાયેલા બિન માન્યતાપ્રાપ્ત પક્ષોના હતા તેમના પણ ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં રહેલા ૩૧૫ ઉમેદવારના ભાવિ પણ સીલ થઇ ગયા હતા. છેલ્લા તબક્કાની ચૂંટણીમાં શિરોમણી અકાળી દળના સુખબીર સિંહ બાદલની સંપત્તિ ૨૧૭ કરોડની નોંધાઇ હતી. આવી જ રીતે પંજાબના ભટિન્ડા બેઠક પરથી ઉમેદવાર હરસિમરતકૌરની સંપત્તિ પણ ૨૧૭ કરોડની નોંધાઇ હતી. અંતિમ તબક્કામાં સૌથી અમીર ઉમેદવારોની વાત કરવામાં આવે તો અપક્ષ ઉમેદવાર બિહારના પાટલીપુત્રના રમેશ કુમાર શર્માની સંપત્તિ ૧૧૦૭ કરોડ નોંધાઇ હતી. ૧૨મી મેના દિવસે ૫૯ સીટ પર મતદાન થયા બાદ લોકસભાની કુલ ૫૪૨ સીટ પૈકી ૪૮૩ સીટ પર મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઇ હતી.
આજે અંતિમ તબક્કાના મતદાન સાથે તમામ બેઠકો પર મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી માટેના કાર્યક્રમની ચૂંટણી પંચે ૧૦મી માર્ચના દિવસે જાહેરાત કરી દીધી હતી. આની સાથે લોકસભા ચૂંટણી માટેનું રણશિંગુ ફુંકાઈ ગયું હતુ. ચૂંટણી પંચે લોકસભાની કુલ ૫૪૨ સીટો ઉપર સાત તબક્કામાં મતદાનની જાહેરાત કરી હતી જે પૈકી પ્રથમ તબક્કામાં ૧૧મી એપ્રિલના દિવસે અને બીજા તબક્કામાં ૧૮મી એપ્રિલના દિવસે મતદાન થયું હતું. ત્રીજા તબક્કામાં ૨૩મી એપ્રિલના દિવસે મતદાન થયુ હતુ અને ૨૯મી એપ્રિલના દિવસે ચોથા ચોથા તબક્કામાં મતદાન થયુ હતુ. છટ્ઠી મેના દિવસે પાચંમા તબક્કામાં મતદાન થયુ હતુ. જ્યારે છઠ્ઠા તબક્કામાં ૧૨મીના દિવસે મતદાન થયુ હતુ. અંતિમ તબક્કામાં મતદાન બાદ તમામ તબક્કાની મતગણતરી એક સાથે ૨૩મી મેના દિવસે યોજાશે. આનો મતલબ એ થયો કે, ૧૭મીલોકસભામાં સત્તાની ચાવી કોની પાસે આવશે તે અંગેનો ફેંસલો ૨૩મી મેના દિવસે થશે. પ્રથમ તબક્કામાં ૨૦ રાજ્યોમાં ૯૧ સીટો ઉપર મતદાન થયુ હતુ. બીજા તબક્કામાં ૧૨ રાજ્યોની ૯૫ સીટ પર મતદાન થયું હતું. ત્રીજા તબક્કામાં ૧૨ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેતી ૧૧૬ સીટ પર મતદાન થયુ હતુ છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યોની ૫૯ સીટો ઉપર મતદાન પૂર્ણ થયું હતુ. સામાન્ય ચૂંટણીમાં આ વખતે કુલ ૯૦ કરોડ મતદારો નોંધાયા હતા. આ પ્રથમ એવી ચૂંટણી છે જેમાં ૨૧મી સદીમાં જન્મેલા લોકો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ૨૦૧૪માં ચૂંટણી દરમિયાન આ સદીમાં જન્મેલા લોકોની વય ૧૮ વર્ષની ન હતી. અંતિમ તબક્કાને લઇને પણ ભારે ઉત્સાહ દેખાઇ રહ્યો હતો. વારાણસી બેઠક પર તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ હતી જ્યાં વડાપ્રધાન મોદી મેદાનમાં હતા. છેલ્લા તબક્કાની ચૂંટણીમાં કેટલાક દિગ્ગજો મેદાનમાં હતા જેમાં પંજાબના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન સુખબીર સિંહ બાદલ ફિરોજપુર સીટ પરથી ચૂંટણી લડી રહ્યા હતા. ગુરદાસપુરમાંથી સની દેઓલ ચૂંટણી મેદાનમાં હતા. અંતિમ તબક્કામાં શત્રુઘ્ન સિંહા, મિશા ભારતી, હરદિપસિંહ, હરસિમરત કૌર, રવિશંકર પ્રસાદ, કિરણ ખેર, પવનકુમાર બંસલના ભાવિ પણ આજે સીલ થઇ ગયા હતા.

Related posts

दिल्ली के मुख्य सचिव अंशु की मेडिकल रिपोर्ट में मिले चोट के निशान

aapnugujarat

आम जनता के आंसू निकाल रहा प्याज

aapnugujarat

કાશ્મીરમાં આતંકીઓની ગતિવિધિ શરુ : સેટેલાઈટ ફોન સક્રિય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1