Aapnu Gujarat
ગુજરાત

નકલી બિયારણ ઝડપાયા બાદ વિપક્ષના પરેશ ધાનાણીએ સરકાર પર કર્યા પ્રહાર

ગાંધીનગરના માણસામાં નકલી બિયારણ ઝડપાયા બાદ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, કૃષિ અને ઋષિના રાજ્ય ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની નિષફળતાને કારણે સરકારના મળતીયા દ્વારા કારસ્તાન થાય છે. કણ વાવીને મણ ભેગું કરવાના સ્વપનાં જોતા જગતના તાતના જીવનમાં બે છેડા ભેગા નથી થતા ખેડૂતો કરજદારો બન્યા છેને આત્મહત્યા કરવા મજબુર બન્યા છે.
નકલી ખાતર, નકલી દવા અને નકલી બિયારણ વેચનારા પર સરકારે શિક્ષતામક કાર્યવાહી કરવાનો માંગ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ કરી હતી.પરેશ ધાનાણીએ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે, ભાજપના રાજમાં નકલી ખાતર, નકલી દવા, નકલી બિયારણ વેચીને જનતાને ઠગવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભાજપના રાજમાં ખેડૂતો કણ વાવીને મણ લેવાના ખેડૂતોના સપના ચકનાચૂર કરવામાં આવી રહ્યા છે. ભાજપના રાજમાં ખેડૂતો આત્મહત્યા કરવા માટે મજબૂર બન્યા છે.

Related posts

પાવીજેતપુર તાલુકાના કંડા ગામે શોર્ટ સર્કિટથી આગ લાગતા એક મકાન ઘરવખરી સહિત બળીને ખાખ

editor

વડોદરામાં ૬૬ ટકા લોકો ફુલ્લી વેક્સિનેટેડ થયા

editor

अहमदाबाद में १८ से २१ के दौरान योग कार्यक्रम में पांच लाख से अधिक के आने की संभावना

aapnugujarat

Leave a Comment

UA-96247877-1