ભારતીય જનતા પાર્ટી સાથે મળી લોકસભાની ચૂંટણી લડનાર શિવસેનાનું માનવું છે કે ભાજપ પોતાના દમ પર સરકાર નહી બનાવી શકે. રામ માધવના નિવેદનને યાદ કરતા શિવસેનાએ કહ્યું, ભાજપ પૂર્ણ બહુમત નહી મેળવી શકે અને આગામી સરકાર બનાવવા માટે સહયોગીઓ પર નિર્ભર રહેવું પડશે.
શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતે કહ્યું ભાજપ માટે ૨૮૦ બેઠકો પર પહોંચવુ મુશ્કેલ છે, જે તે ૨૦૧૪માં કરી શકી હતી. સંજય રાઉતે કહ્યું રામ માધવે જે કહ્યું તે યોગ્ય છે. એનડીએ આગામી સરકાર બનાવશે. ભાજપ સૌથી મોટ પાર્ટી હશે.
હાલમાં તો ભાજપ માટે ૨૮૦-૨૮૨ના આંકડા સુધી પહોંચવું મુશ્કેલ લાગ રહ્યું છે પરંતુ અમારો એનડીએ પરિવાર બહુમતના આંકડાને પાર કરી લેશે. સંજય રાઉતે કહ્યું મોદી ફરી વાર પ્રધાનમંત્રી બનશે તો શિવસેનાને ખુશી થશે.