કેન્દ્રીય પ્રધાન રાજ્યવર્ધનસિંહ રાઠોડે જયપુર ગ્રામીણ બેઠક પરથી ઉમેદવારી પત્રક ભર્યું છે, તેમની સાથે પત્ની ગાયત્રી રાઠોડ અને યોગગુરૂ બાબા રામદેવ પણ હાજર રહ્યા હતા. રાજ્યવર્ધન સિંહે ઉમેદવારી પત્રક ભરતા પહેલા મંદિરમાં દર્શન પણ કર્યાં હતાં.૨૦૧૪માં રાજ્યવર્ધનસિંહ રાઠોડ જયપુર ગ્રામીણ બેઠક પર જીત્યા હતાં જેથી ફરીવાર ભાજપે તેમને જયપુર ગ્રામીણ બેઠક પરથી ટિકિટ આપી છે. રાજ્યવર્ધનસિંહે ઉમેદવારી પત્રક ભર્યાં બાદ યોગગુરુ બાબા રામદેવે પીએમ મોદીના વખાણ કરતાં જણાવ્યું હતું કે, પીએમ મોદી હિમાલય કરતાં પણ ઉંચા છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ