Aapnu Gujarat
ગુજરાત

ડિસેમ્બર સુધીમાં અમદાવાદ-બોટાદ લાઇન ઉપર ટ્રેન દોડશે

અમદાવાદ-ભાવનગર વચ્ચેનો રૂ.૧૧૪૩ કરોડનો રેલવે બોટાદ બ્રોડગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ પૂરો થવાની તૈયારીમાં છે, જેના કારણે ડિસેમ્બર સુધીમાં અમદાવાદ-ભાવનગર વચ્ચે મુસાફરી કરવા ઈચ્છતા પ્રવાસીઓને આધુનિક સુવિધાવાળી ટ્રેનો મળશે. અમદાવાદ-બોટાદ લાઇન પર આવતાં ૧૨ રેલ્વે સ્ટેશનનોને નવા રંગ રૂપ અપાઇ રહ્યા છે. ડિસેમ્બર સુધીમાં આ લાઇન પર રેલ વ્યવહાર શરૂ થતાં અમદાવાદ-ભાવનગર વચ્ચેના પ્રવાસીઓને બહુ મોટી રાહત થશે. અમદાવાદથી ભાવનગર માત્ર સાડા ત્રણ કલાકમાં પહોંચી શકાય તેવા ટાર્ગેટ સાથેની ઉપરોકત પ્રોજેકટ સંબંધી કામગીરી પુરજોશમાં ચાલુ છે. રેલવે ટ્રેક ઉપર બોટાદથી હડાલા-ભાલ સુધીના ૪૦ કિ.મી.ના માર્ગ ઉપર સફળતાપૂર્વક એન્જિનનું ટેસ્ટિંગ પણ પૂરું કરવામાં આવ્યું છે. આ ટ્રેકના બ્રોડગ્રેજ કન્વર્ઝનની કામગીરી ચાલુ છે. લગભગ ૬૫ ટકાથી વધુ કામ પૂરું કરી દેવાયું છે. આ મહિનાના અંત સુધીમાં વધુ ૨૦ કિ.મી.નો માર્ગ બ્રોડગેજ કન્વર્ઝન થઈ જશે, જેથી કુલ ૬૦ કિ.મી.નો માર્ગ બ્રોડગેજ ટ્રેક થશે. અમદાવાદ-બોટાદ બ્રોડગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ વર્ષ ૨૦૧૨-૧૩માં મંજૂર થયો હતો. પ્રોજેક્ટની કિંમત તે સમયે ૮૦૦ કરોડ અંદાજવામાં આવી હતી. હવે આ પ્રોજેક્ટની કિંમત વધીને રૂ.૧૧૪૩ કરોડ થઈ છે. આ લાઈન ઉપર આવેલાં ૧૨ રેલવે સ્ટેશન નવાં રંગરૂપ ધારણ કરશે, જેમાં મોરૈયા, મટોડા, તગડી, ધંધૂકા, સરખેજ, બાવળા, ધોળકા અને ગોધનેશ્વરનો સમાવેશ થાય છે. આ અંગે અમદાવાદ રેલવેના પીઆરઓ પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે, આ માર્ગ ઉપર ઈલેક્ટ્રિફિકેશનનું કામ બાકી છે. હવે નવા માર્ગ ઉપર ઈલેક્ટ્રિફાઈડ રેલવે હશે. આ કામ આરવીએનએલ ઉપરાંતના એક યુનિટ દ્વારા અલગથી થશે. આગામી ડિસેમ્બર સુધીમાં તમામ કામગીરી પૂરી કરવામાં આવશે. જેને પગલે અમદાવાદ-ભાવનગર વચ્ચેના પ્રવાસીઓને બહુ મોટી રાહત થશે.

Related posts

Completion of 6.5 km long up-down line twin tunnels under Ahmedabad Metro Rail Project Phase-I is a historic achievement of Indian engineers

editor

ચુડાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિશ્વ હાર્ટ દિવસની ઉજવણી

editor

દિયોદરના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાએ ત્રણ સ્કૂલોનાં બાળકોને તિથિ ભોજન કરાવ્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1