દિયોદરના ધારાસભ્ય અને એ.પી.એમ.સી.ના ચેરમેન શિવાભાઈ ભુરિયા ઘણા વર્ષોથી અન્ન લેતા નથી અને ફળફ્રુટ ઉપર પોતાનું પોષણ કરી રહ્યા છે અને સદાયે ભક્તિમય જીવન અને સાદગીના પ્રતીક સમુ જીવન જીવી રહ્યા છે. આમ તો બારે માસ શિવ આરાધના કરતાં હોય છે પરંતુ શ્રાવણ માસમાં ખાસ શિવ ભક્તિ કરીને છેલ્લે શિવ યજ્ઞ બાદ દિયોદર તાલુકાની વાતમજુના, અભેગઢ, શિવનગર શાળાઓના બાળકોને તિથિભોજન આપેલ અને બાળકો સંગાથે વિચાર ગોષ્ઠિ યોજેલી પ્રસંગે ગામના આગેવાનો ત્રણેય શાળાના સ્ટાફ એમજ આચાર્યો એમજ યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.બાળકોને શિવાભાઈ ભુરિયાએ ખુદે ભાવતા ભોજન પીરસ્યા હતા જે બાદ બાળકો ધારાસભ્યની નિખાલસ, નિર્મલ અને અપનત્વને કારણે ખુશ થયા હતા. શાળા પરિવારોએ આભાર વ્યક્ત કર્યો હતો અને આ કાર્યમાં ગામના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)
પાછલી પોસ્ટ