શહેરના ઉત્તરઝોનમાં આવેલા બાપુનગર વિસ્તારમાં આજે એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા રસ્તા ઉપરના અડચણરૂપ દબાણો દુર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવતા સ્થાનિક રહીશોએ હાશકારો અનુભવ્યો હતો.આ અંગે મળતી માહિતી અનુસાર બાપુનગર વિસ્તારમાં ચાર રસ્તાથી લઈને ભીડભંજન હનુમાન સુધીના રસ્તા ઉપર વિવિધ પ્રકારના દબાણોનો ખડકલો ખડકી દેવામાં આવ્યો હતો.આ કારણથી આ વિસ્તારના સ્થાનિકો ઉપરાંત બહારના વિસ્તારમાંથી આ વિસ્તારમાં આવતા લોકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.બીજી તરફ મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા આ પ્રકારના દબાણ કરવાવાળાને વારંવાર દબાણો દુર કરવા અંગે ચેતવણી આપવામાં આવી હતી.જેને દબાણ કરવાવાળા દ્વારા અવગણના કરવામાં આવતા આજે મ્યુનિસિપલ કોર્પોરેશનની ઉત્તરઝોન એસ્ટેટની ટીમ પહોંચી હતી અને કાર્યવાહી કરી હતી.