Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

લાલચ આપીને મત માંગનારા સામે આઈટી વિભાગ કડક

લોકસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન ૧૧ એપ્રિલે યોજાશે, ત્યારે ચૂંટણી પહેલા આવકવેરા વિભાગે જાહેર જનતાને અપીલ કરી છે જેમાં કહેવામાં આવ્યું છે કે, રોકડ નાણાં કે કોઈ અન્ય પ્રકારની લાલચ આપની મત માગનાર વ્યક્તિની જાણકારી ડિપાર્ટમેન્ટને આપવામાં આવે, આ માટે આઈટી ડિપાર્ટમેન્ટે એક હેલ્પલાઈન પણ શરુ કરી છે.આવકવેરા વિભાગના ડાયરેક્ટર જનરલ કે.કે.વ્યાવહરેએ કહ્યુ કે, અમે વિશ્વસનીય સૂચના કે ગુપ્ત જાણકારી ઈચ્છીએ છીએ, જેથી અમે જાહેર જનતાને અપીલ કરીએ છીએ. લોકો કોઈપણ પ્રકારની જાણકારી માટે ૧૮૦૦૨૨૧૫૧૦ હેલ્પલાઈનનો ઉપયોગ કરી શકે છે. ડિપાર્ટમેન્ટે એમ પણ કહ્યું છે કે, કોઈ પણ ગુપ્ત માહિતી આપનાર વ્યક્તિની ઓળખ પણ ગુપ્ત રાખવામાં આવશે. તમને જણાવી દઈએ કે, ગત લોકસભાની ચૂંટણીમાં હેલ્પલાઈન નંબર પર આ પ્રકારના ૧૨૫ ફોન કોલ આવ્યાં હતાં. પરંતુ એ સમયે કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી ન હતી.અધિકારીએ કહ્યું કે, જો કોઈ વ્યક્તિની આ મામલે ઘરપકડ કરવામાં આવે તો ડિપાર્ટમેન્ટ તેના પણ ઘણા બધા પ્રકારે કાર્યવાહી કરી શકે છે. જેમાં ૧૦ કરોડથી વધુની બેનામી રોકડને જપ્ત કરવામાં આવે છે. ડિપાર્ટમેન્ટે દરેક લોકસભા વિસ્તારમાં એક તાત્કાલિક પ્રતિક્રિયા દળની રચના કરી છે. જેના માટે અંદાજે ૨૦૦થી વધુ અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યાં છે. ૩૧ માર્ચ પછી આ સંખ્યામાં વધારો થશે.મહત્વનું છે કે, અગાઉ ચૂંટણી પંચે ‘સી વિજિલ’ નામની એક એપ્લિકેશન પણ લોન્ચ કરી છે. આ એપ મારફતે તમે આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરનાર નેતાઓ સામે ફરિયાદ કરી શકો છો. ફરિયાદ કર્યાના ૧૦૦ મિનિટની અંદરમાં ચૂંટણી પંચ તેની સામે કાર્યવાહી કરશે.

Related posts

राबड़ी देवी ने सरकार पर तंज : भगवान भरोसे बिहार, अपराधी हुए बेलगाम

aapnugujarat

દિવાળી સુધી ગરીબોને મફ્ત અનાજ આપવા વડાપ્રધાનની જાહેરાત

editor

राहुल गांधी -कांग्रेस को टेक्नॉलोजी का जीरो ज्ञान : बीजेपी का पलटवार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1