Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મોદી સરકાર સામે મમતાનુ દિલ્હી દંગલ, ૨૧ પાર્ટીના નેતાઓ રહેશે હાજર

કોલકાતામાં મોદી સરકાર સામે કરેલા ધરણા બાદ હવે પશ્ચિમ બંગાળ સીએમ મમતા બેનરજી મોદી સામે દિલ્હીમાં મોરચો માંડવાની કવાયતમાં લાગી ગયા છે.
મમતા બેનરજીએ સંસદનુ બજેટ સત્ર ૧૨ ફેબ્રુઆરીએ પુરુ થાય તેના એક દિવસ અગાઉ મોદી સરકાર સામે મહાગઠબંધનના શક્તિ પ્રદર્શનના એક કાર્યક્રમનુ આયોજન કર્યુ છે.જેમાં મમતા બેનરજી સહિત ૨૧ પાર્ટીના નેતાઓ એક મંચ પર આવશે. જોકે માયાવતી આ કાર્યક્રમમાં જોડાશે કે નહી તેના પર સસ્પેન્સ યથાવત છે. કારણકે તાજેતરમાં કોલકાતામાં મહાગઠબંધન દ્વારા યોજાયેલી રેલીમાં પણ માયાવતીની ગેરહાજરી જોવા મળી હતી. એવુ કહેવાય છે કે બંને મહિલા નેતાઓ વચ્ચે વડાપ્રધાન પદને લઈને મતભેદ છે.
મમતા બેનરજીના ગઢ પશ્ચિમ બંગાળને જીતવા માટે ભાજપ પૂરેપુરુ જોર લગાવી રહી છે ત્યારે ટીએમસીના નેતાઓનુ માનવુ છેકે મમતા બેનરજીને દિલ્હીમાં શક્તિ પ્રદર્શનના કારણે ઘરઆંગણે ફાયદો મળશે.મમતા બેનરજી મહાગઠબંધનમાં પણ મજબૂત નેતા બનીને ઉભરશે.
આ પહેલા મમતા બેનરજીએ સારદા ચીટ ફંડ કૌભાંડમાં સીબીઆઈ દ્વારા કોલકાતા પોલીસ કમિશ્નરની પૂછપરછના વિરોધમાં કોલકાતામાં ધરણા કર્યા હતા.

Related posts

રાફેલ : ૪ મે સુધી જવાબ આપવા માટે સરકારને હુકમ

aapnugujarat

યુપીમાં મોદીને લાગશે ઝટકો : પ્રિયંકાનો પણ નહીં ચાલે જાદુ

aapnugujarat

એલપીજી સિલિન્ડરના ભાવમાં ૭૩ રૂ.નો વધારો

editor

Leave a Comment

UA-96247877-1