વિજય માલ્યાએ શુક્રવારે ચોંકાવનારા દાવા કર્યાં છે. તેમણે કહ્યું, મારી કંપનીની ૧૩,૦૦૦ કરોડથી પણ વધારેની સંપત્તી જપ્ત કરી લેવામાં આવી છે. માલ્યાએ ટ્વીટ કરીને દાવો કર્યો કે, તેને નાણાં આપનારી બેંકે પોતાના વકિલોને તેના વિરુદ્ધ નાના-મોટા મામલાઓ નોંધવાની ખુલ્લી છૂટ આપી છે. માલ્યાએ કાનૂની ફી તરીકે જાહેર નાણાંના બેકાર ઉપયોગ પર સવાલો ઉઠાવ્યા છે.વિજય માલ્યાએ કહ્યું કે, રોજ સવારે મને જાણવા મળે છે કે, ડીઆરટીના રિકવરી અધિકારીઓએ વધુ એક સંપત્તી જપ્ત કરી. જપ્ત કરવામાં આવેલી સંપત્તીની કિંમત ૧૩ હજાર કરોડથી વધારે છે. બેંકોએ દાવો કર્યો છે કે દરેક પ્રકારના વ્યાજને મેળવીને તેમના ૯ હજાર કરોડ બાકી છે અને તેની પણ સમીક્ષા કરવી જોઇએ. આ ક્યાં સુધી આગળ જશે? શું આ ન્યાય સુસંગત છે?માલ્યાએ વધુમાં કહ્યું કે, ડીઆરટીના રિકવરી અધિકારીઓએ ભારતમાં બેંકો તરફથી હાલમાં તેમના ગૃપની ૧૩ હજાર કરોડ રૂપિયાની સંપત્તી જપ્ત કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે, હું ૯ હજાર કરોડ રૂપિયા લઇને ભાગી ગયો જેનાથી સરકારી બેંકોને નુંકસાન થયું, તો ન્યાય અથવા નિષ્પક્ષતા ક્યાં છે?
આગળની પોસ્ટ