અમદાવાદના પ્રાથમિક જિલ્લા શિક્ષણા અધિકારીએ વિચિત્ર આદેશ આપ્યો કે તમામ શિક્ષકોએ પોલીસ પાસેથી સારા ચારિત્રનું સર્ટિફિકેટ લાવીને રજુ કરવાનું અર્થાત્ તમારા પર કોઈ પણ પ્રકારનો પોક્સોનો કેસ નથી. હવે પ્રાથમિક શાળાના શિક્ષકોએ નજીકના પોલીસ સ્ટેશનમાં જઈ તેની ચાલ-ચલતનું સર્ટિફિકેટ લેવું પડશે. આ આદેશ બાદ શિક્ષક વર્તુળમાં રોષ વાપ્યો છે.
જોકે મોટાભાગના શિક્ષકો પર કોઈ પણ પ્રકારે પોક્સોનો કેસ નથી. પરંતુ ડીઈઓના આદેશ બાદ હવે નજીકના પોલીસ સ્ટેશનમાં જઈ શિક્ષકો એફિડેવીટ કરાવી તેમને રજુ કરશે. આ ઉપરાંત શિક્ષકેને કોઈ અન્ય કેસમાં દંડ થયો નથી તેનું પ્રમાણપત્ર પણ લાવવું પડશે. આ એફિડેવિટ કરવાવા અંદાજે ૨૦૦ રૂપિયા જેટલો ખર્ચ થશે. આ ખર્ચ શાળા સંચાલકોએ કરવાનો છે આથી સંચાલકો ડીઈઓ સામે અકળાયા છે.