ઉત્તરપ્રદેશની બે દિવસની મુલાકાત લેનારા રાષ્ટ્રીય જનતા દળના નેતા અને લાલુ યાદવના પુત્ર તેજસ્વી યાદવનુ કહેવુ છે કે સપા અને બસપાના ગઠબંધનના કારણે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે પણ બનારસમાંથી ચૂંટણી જીતવી અશક્ય છે.
તેમણે કહ્યુ હતુ કે લાલુ પ્રસાદે જે મહાગઠબંધનની કલ્પના કરી હતી તે સપા અને બસપાના એક થવાથી સાકાર થઈ છે.આ એતિહાસિક નિર્ણય છે.લોકતંત્ર બચાવવા માટે બંનેએ સાથે આવવુ જરુરી હતી.લોકોને પણ આ વાતનો અહેસાસ થશે.ભાજપ અને આરએસએસ જાતિવાદી લોકો છે. તેજસ્વીએ કહ્યુ હતુ કે બિહારમાં આરજેડી કોંગ્રેસ સાથે ઉભી રહેશે.ચૂંટણીમાં બેઠકોની વહેંચણી અંગેની જાહેરાત અમે પત્રકારોની વચ્ચે કરીશું.
પાછલી પોસ્ટ