લોકસભાની ચુંટણી જીતવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા અત્યારથી જ ચુંટણી પ્રચારના શ્રીગણેશ કરી દીધાં છે અને ભાજપ દ્વારા મતદારોની વચ્ચે જઇને લોકસભામાં ભાજપનાં ઉમેદવારને મત આપીને જીતાડવા માટે સંકલ્પ લેવડાવવામાં આવી રહ્યો છે.
આગામી લોકસભા ૨૦૧૯માં મોદીને ફરી મત આપી ભારતીય જનતા પાર્ટીને વિજયી બનાવવાનો સંકલ્પ આર સી પટેલ અને કાર્યકર્તાઓએ લીધો હતો. અમદાવાદ જીલ્લા ભાજપ પ્રમુખ આર સી પટેલ દ્વારા લોકસભા ૨૦૧૯ ચુંટણી અનુસંધાને બાવળા શહેર વોર્ડ -૬થી ખાટલા બેઠકની શરૂઆત કરવામાં આવી હતી જેમાં બાવળા મંડલ પ્રમુખ કેતન પટેલ, મહામંત્રી જય વ્યાસ, નરેન્દ્ર રાધાણી, નગરપાલિકા ઉપપ્રમુખ દશરથ ઠાકોર, નગરપાલિકા સદસ્ય કમલેશ પટેલ, કાર્તિક ચૌહાણ, પંકજ ઠાકોર, દીપક ભટ્ટ, યુવા મોરચા પ્રમુખ ચિરાગ પટેલ, તુષાર ગુર્જર, રોનક્ મિસ્ત્રી, વંદન લુહાર સહિત કાર્યકર્તાઓ હોદ્દેદારો હાજર રહ્યાં હતાં.
(તસવીર / અહેવાલ :- વંદના નીલકંઠ વાસુકિયા)