Aapnu Gujarat
રાષ્ટ્રીય

સુકમા નક્સલી હુમલાની કોર્ટ ઓફ ઈન્કવાયરીનો આદેશ

છત્તીસગઢના નક્સલ પ્રભાવિત સુકમા જિલ્લામાં ગત મહિને સીઆરપીએફ જવાનો પર નક્સલીઓના હુમલાની કોર્ટ ઓફ ઈન્કવાયરીનો આદેશ આપવામાં આવ્યો છે. સુકમા જિલ્લાના ચિંતાગુફા થાણા ક્ષેત્રના અંતર્ગત પડનારા બુરકાપાલ ગામની પાસે નક્સલીઓ દ્વારા ૨૪ એપ્રિલના રોજ કરવામાં આવેલા હુમલામાં ૨૫ જવાન શહીદ થઇ ગયા હતા.મળતી જાણકારી અનુસાર શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું કે નક્સલી હુમલા દરમિયાન નજીક કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળની બીજી કંપની સમય પર મદદ માટે પહોંચી નહતી. આ બાબતમાં સીઆરપીએફના કમાન્ડર જે. વિશ્વનાથને ગૃહમંત્રાલયના નિર્દેશ પર પહેલાથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. એ સુકમા નક્સલી હુમલા દરમિયાન ટીમનું નેતૃત્વ કરી રહ્યા હતા.આ બધા વચ્ચે એવું પણ જાણવા મળ્યું કે ગત મહિને જે દરમિયાન આ જોરદાર ઘટના બની, એ સમયે સીઆરપીએફના ૭૪ના બટાલિયનના આશરે ૫૫ જવાન રજા પર હતા. એક જ બટાલિયનના આટલા બધા જવાનો એક સાથે રજા પર ગયા એ સીઆરપીએફની કાર્યપ્રણાલીમાં મોટી ખામી તરફ ઇશારો કરે છે.
સુક્મા હુમાલામાં શહીદ થયેલા બધા ૨૫ જવાનો સીઆરપીએફના આ ૭૪માં બટાલિય.ન ડેલ્ટા કંપનીના હતા. એ લોકાને બુરકાપાલ અને ચિંતાગુફાની વચ્ચે તૈનાત કરવામાં આવ્યા હતા. રોડ ઓપનિંગ માટે નીકળેલું આ દળ જ્યારે બુરકાપાલની નજીક હતું ત્યારે નક્સલીઓએ પોલીસ દળ પર ગોળીબાર શરૂ કરી દીધો.

Related posts

प्रियंका ने कहा – भाजपा सरकार अर्थव्यव्स्था के मामले में इतनी भ्रमित क्यों है?

aapnugujarat

उत्तर प्रदेश में राहुल को ‘शक्ति’ नहीं दे रहे कांग्रेस कार्यकर्ता

aapnugujarat

મધ્યપ્રદેશમાં કરણી સેનાના નગરમંત્રીની જાહેરમાં હત્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1