Aapnu Gujarat
Uncategorized

જસદણમાં ભાજપની જીત થશે,અમિત ચાવડાને કંઈ ખબર જ નથી : બાવળિયા

પાંચ રાજ્યોમાં જે રીતે ભાજપનાં સૂપડા સાફ થઈ ગયા છે. જનતાઓ ભાજપને જાકારો આપ્યો છે. તેવી જ રીતે કોંગ્રેસમાંથી લાલચના મોહમાં ભાજપમાં ગયેલા નેતાઓની પણ આવી જ સ્થિતિ થશે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષના આ પ્રકારના નિવેદનને લઈને બાવળીયા મેદાનમાં આવી ગયા છે. મીડિયા સાથે વાત કરતા અમિત ચાવડાના નિવેદન પર કુંવરજી બાવળીયાએ પ્રતિક્રિયા આપી હતી કે, ૫ રાજ્યોમાં ભલે ગમે તેવા પરિણામ આવ્યા હોય. પરંતુ જસદણમાં તેની કોઈ જ અસર નહીં થાય. અમિત ચાવડાને જસદણની કંઈજ ખબર નથી. કે મેં જસદણની જનતા માટે શું કર્યું છે અને શું નથી કર્યું. મેં જસદણની જનતાને કોઈ જ દ્રોહ નથી કર્યો. એટલા માટે જ ગત વખત કરતા આ વખતે બે ગણા મતથી ચૂંટણી જીતીશ. બાવળિયાએ ઇન્દ્રનીલ રાજ્યગુરૂને રદ થયેલી નોટ ગણાવી હતી. ઇન્દ્રનીલ પૈસાના જોરે ખરીદવા નીકળ્યા છે. ઇન્દ્રનીલનું અનેક ગામોમાં અપમાન થયું છે. વધુમાં તેણે કહ્યું કે, રાજસ્થાનમાં દર પાંચ વર્ષે પરિવર્તન થાય છે. રેશ્મા પટેલને તેમનો અંગત પ્રશ્ન છે.

Related posts

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ભારત-પાક સરહદ નડાબેટ ખાતે ‘સીમાદર્શન પ્રોજેક્ટ’નું ઉદ્દઘાટન કરશે

aapnugujarat

અમદાવાદનો વધુ એક યુવક લૂંટેરી દુલ્હનનો થયો શિકાર

editor

ભાવનગર રેલવે મંડળના કર્મચારીઓનું સન્માન કરાયું

editor

Leave a Comment

UA-96247877-1