શ્રી સોમનાથ ટ્રસ્ટનાં ટ્રસ્ટી અને ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે સોમનાથ મંદિરે તેમના પત્ની-પુત્ર-પુત્રવધુ-પૌત્રી સાથે દર્શનાર્થે પહોંચ્યાં હતાં. તેઓએ અભિષેક તથા પૂજા સામગ્રી અર્પણ કરેલ. આ પ્રસંગે ટ્રસ્ટના ટ્રસ્ટી સેક્રેટરી પ્રવિણ લહેરી, જીતુભાઇ વાઘાણી, ભીખુભાઇ દલસાણીયા, રાજેશભાઇ ચુડાસમા, ચુનીભાઇ ગોહેલ, ઝવેરીભાઇ ઠકરાર, રાજશીભાઇ જોટવા, કિશોરભાઇ કુહાડા, જશાભાઇ બારડ, ગોવિંદભાઇ પરમાર, દિનુભાઇ સોલંકી, ડોલરભાઇ કોટેચા, શિવાભાઇ સોલંકી, રાજુભાઇ ધ્રુવ સહિત સ્થાનિક આગેવાનો જોડાયા હતા. અમિત શાહે તત્કાલ મહાપૂજન અને ધ્વજાપુજન કરેલ હતું. આ પ્રસંગે પુજાચાર્યશ્રી ધનંજયભાઇ દવેએ પુષ્પહાર પહેરાવી તેઓનું સન્માન કરેલ હતું. ટ્રસ્ટી સેક્રેટરી પ્રવિણભાઇએ શાલ તેમજ સ્મૃતિભેટ આપી અમિતભાઇ, તથા અન્ય પરિવારજનો અને મહાનુભાવોનું સન્માન કરેલ હતું.
(અહેવાલ / તસવીર :- મહેન્દ્ર ટાંક, સોમનાથ)
પાછલી પોસ્ટ