Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાજસ્થાન-તેલંગાણામાં પ્રચારનો અંત

રાજસ્થાન અને તેલંગાણામાં સાતમી ડિસેમ્બરના દિવસે યોજાનાર ચૂંટણીને લઇને આજે પ્રચારનો અંત આવ્યો હતો. હાઈવોલ્ટેજ ચૂંટણી ઉપર દેશની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મિઝોરમમાં ચૂંટણી માટે મતદાન થઇ ચુક્યું છે અને આ રાજ્યોમાં ઉંચુ મતદાન થયા બાદ ભારે સસ્પેન્સની સ્થિતિ છે. હવે રાજસ્થાનમાં સાતમી ડિસેમ્બરે મતદાન થશે. છેલ્લા થોડાક દિવસમાં રાજ્યમાં સેંકડો રેલીઓ યોજાઈ હતી અને રોડ શો યોજાયા હતા. ચૂંટણી મેદાનમાં ૨૨૭૪ ઉમેદવારો રહેલા છે જેમાં ૧૮૯ મહિલાઓનો સમાવેશ થાય છે. ૨૦૦ વિધાનસભા બેઠક પૈકી ૧૯૯ બેઠક માટે ૭મી મતદાન યોજાશે. હાલમાં અલવર જિલ્લાના રામગઢ મતવિસ્તારમાં બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારના અવસાનના કારણે ચૂંટણી મોકૂફ કરી દેવામાં આવી છે. આજે પ્રચારનો સાડા પાંચ વાગે અંત આવ્યો હતો. મતદાન સવારે ૮ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી ચાલનાર છે. રાજસ્થાનમાં મુખ્ય ચૂંટણી અધિકારી આનંદકુમારે કહ્યું છે કે, યોગ્ય સુરક્ષા વ્યવસ્થા રાજસ્થાનમાં ગોઠવી દેવામાં આવી છે. રાજ્યમાં ૪.૭૭ કરોડ નોંધાયેલા મતદારો છે. રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર હવે ચરમસીમા પર છે. આજે પ્રચારના છેલ્લા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોરદાર રીતે સક્રિય રહ્યા હતા. રાજસ્થાનમાં ૨૦૦ વિધાનસભાની ચૂંટણી પૈકી ૧૯૯ પર હવે સાતમી ડિસેમ્બરના દિવસે મતદાન થનાર છે. રાજસ્થાન અને તેલંગણામાં બુધવારના દિવસે મતદાન થનાર છે. બંને રાજ્યોમાં મતગણતરી ૧૧મી ડિસેમ્બરના દિવસે હાથ ધરવામાં આવનાર છે. ભાજપ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ પ્રમુખ અમિત શાહ અને ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે તમામ તાકાત લગાવી હતી. જ્યારે કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી, અશોક ગહેલોત અને સચિન પાઇલોટે તમામ તાકાત લગાવી દીધી હતી. રાહુલ ગાંધીએ આક્ષેપ કરતા કહ્યુ છે કે મુખ્યપ્રધાન રાજેને છેલ્લા પાંચ વર્ષમાં સામાન્ય લોકો માટે સમય જ મળ્યો નથી. રાહુલે કહ્યુ છે કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો રાજ્યમાં ફુડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ વિકસિત કરવામાં આવનાર છે. મોદીએ પ્રચારના છેલ્લા દિવસે આજે બે રેલી કરનાર છે. જેમાં પહેલી પાલીના સુમેરપુર અને બીજી દૌસામાં રેલી યોજી હતી. બીજી બાજુ તેલંગાણામાં પણ ચૂંટણી પ્રચારનો આજે અંત આવ્યો હતો. અહીં પણ સાતમીએ જ મતદાન થશે. તેલંગાણામાં ૧૧૯ વિધાનસભા સીટો છે. ૧૮૨૧ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. ટીઆરએસ સામે આ વખતે કોંગ્રેસ, ટીડીપી, સીપીઆઈ, તેલંગાણા જનસમિતિના મહાગઠબંધનનો મુકાબલો છે. ઓવૈસીની પાર્ટી પણ મેદાનમાં છે. આ પાર્ટી તમામ ૧૧૯ સીટો પર લડી રહી છે. કોંગ્રેસે ૯૯ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. તેલંગાણામાં કુુલ મતદારોની સંખ્યા ૨.૮૦ કરોડ છે. તેલંગાણામાં નિષ્પક્ષ ચૂંટણીની કાતરી કરવા વિવિધ પગલા લેવામાં આવ્યા હતા જેના ભાગરુપે ત્રીજી ડિસેમ્બર સુધી ૧૧૧ કરોડ રૂપિયાની કિંમતની અન્ય ચીજવસ્તુઓ અને રોકડ રકમ જપ્ત કરાઈ હતી. ૯૪.૧૭ કરોડની રકડ જપ્ત કરવામાં આવી હતી. ટેલિવિઝન ન્યુઝ ચેનલમાં પેઇડ ન્યુઝમાં ૧૩૦૬ કેસ નોંધાયા હતા જે પૈકી ૩૦૩ કેસો હૈદરાબાદમાં દાખલ થયા હતા. કોંગ્રેસે ૯૯ ઉમેદવારો, ટીડીપી ૧૩, ટીજેએસે ૦૮ અને સીપીઆઈએ ૦૩ ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે. ૨૦૧૪ની ચૂંટણીમાં ટીઆરએસે ૬૩, કોંગ્રેસે ૨૧, ટીડીપીએ ૧૫, ભાજપે પાંચ બેઠકો જીતી હતી. રાજસ્થાનમાં રાજકીય પંડિતો માની રહ્યા છે કે દસ દિવસ પહેલા ભાજપની સ્થિતી નબળી હતી પરંતુ હવે તેમને લાગે છે કે ભાજપની ગેમમાં વાપસી થઇ રહી છે. હવે સ્થિતી સટ્ટા બજારમાં પણ બદલાઇ રહી છે. પહેલા કોંગ્રેસને ૧૨૫થી ૧૩૦ સીટ આપવામાં આવી રહી હતી. હવે ભાજપને ૬૫-૭૦ સીટો મળી રહી છે. સાથે સાથે કોંગ્રેસને ૧૦૫-૧૧૦ સીટો મળી રહી છે. પહેલા કોંગ્રેસને વધારે સીટ મળી રહી છે. મોદી ફરી એકવાર જાદુ જગાવશે કે કેમ તે અંગે તો મતગણતરીના દિવસે જ ચિત્ર સ્પષ્ટ થઇ શકશે. રાજસ્થાનમાં એક ચૂંટણી સભાને સંબોધતા વડાપ્રધાને આને લઇને કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા હતા.

Related posts

ગોરખપુરમાં બાળકોના મોત મુદ્દે અખિલેશના ટિ્‌વટને લઇ વિવાદ છેડાયો

aapnugujarat

सुब्रमण्यम स्वामी ने सुनंदा केस में दायर की अर्जी, पुलिस पर तथ्य छिपाने का आरोप

aapnugujarat

लद्दाख में पीछे हटने को मजबूर हुआ चीन

editor

Leave a Comment

UA-96247877-1