સિનિયર અભિનેતા અનિલ કપૂરે કહ્યું હતું કે હાર્ડ વર્કનો કોઇ વિકલ્પ નથી. તમને નસીબ ક્યારેક સાથ આપી દે પરંતુ કાયમ તમે નસીબ પર આધાર રાખીને બેસી જઇ શકતા નથી. છેલ્લા લગભગ સાડા ત્રણ દાયકાથી સતત હિટ ફિલ્મો આપી ચૂકેલા આ અભિનેતાએ કહ્યું કે પોતાનું સંતાન પ્રતિભાવાન છે એવું દરેક માબાપ ભલે માને, તક મળવામાં ક્યારેક નસીબ પણ મહત્ત્વનો ફાળો આપે છે. પરંતુ કાયમ નસીબ તમારી સાથે ન પણ હોય. એકવાર તક મળે અને સફળ થાઓ પછી તમારે સતત મહેનત કરતાં રહેવું પડે. સખત પુરુષાર્થનો કોઇ વિકલ્પ નથી.
’મને લાગે છે કે પુરુષાર્થ અને પ્રારબ્ધ બંને જીવનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. પુરુષાર્થ ઓછો હોય એ ન ચાલે એમ સાવ નસીબનો સાથ ન હોય એ પણ ન ચાલે. બંને મહત્ત્વનાં છે’ એમ અનિલે કહ્યું હતું.
એણે વધુમાં કહ્યું કે ઘર હોય કે વ્યવસાય હોય, દરેક ક્ષેત્રમાં મહિલાઓ મહત્ત્વની છે. મહિલાઓ એક સાથે અનેક કામ સહજતાથી કરી શકે છે. એ લોકોમાં બહુમુખી પ્રતિભા હોય છે. મહિલાઓ વિનાના વિશ્વની હું કલ્પના પણ કરી શકતો નથી. એમને દરેક વ્યવસાયમાં માન મળવું જોઇએ અને એમને દરેક વ્યવસાયમાં સુરક્ષિતતા લાગવી જોઇએ.
પાછલી પોસ્ટ