Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કોંગ્રેસે મુસ્લિમોને વાટકીઓ પકડાવી દીધી છે : ઓવૈસી

પોતાના વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતા અસદુદ્દીન ઓવૈસીએ ફરી એર વખત કોંગ્રેસને નિશાન બનાવી જણાવ્યું કે તેણે ક્યારેય મુસ્લિમ લોકોને ઉપર ઉઠવા નથી દીધા. કોંગ્રેસે હંમેશા નબળા તબક્કાઓને નિશાના પર રાખ્યા છે. કોંગ્રેસે મુસ્લિમોને વાટકીઓ પકડાવી દીધી છે.
ઓવૈસીએ કોંગ્રેસ પર તે સમયે હુમલો કર્યો છે જ્યારે અધ્યક્ષ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી આજે તેલંગાણામાં વિધાનસભા ચૂંટણીની રેલી યોજશે. અસદુદ્દીન ઓવૈસીએ કોંગ્રેસે પર આરોપ લગાવતા જણાવ્યું કે પાર્ટીએ ક્યારેય પણ મુસ્લિમ સમુદાયને આગળ વધવા દીધો નથી. કોંગ્રેસ પાર્ટીએ ક્યારેય મુસ્લિમ લોકોને રાજકારણમાં આગળ વધવાની મંજૂરી આપી નથી. ત્યાં સુધી કે નબળા વર્ગ માટે પણ કોંગ્રેસે કશું જ કર્યું નથી.
તેમણે જણાવ્યું કે રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશમાં જાહેરમાં સ્વીકાર્યું કે તે હિન્દુ છે. કોંગ્રેસની આ તમામ વાતો વિરોધાભાસ પેદા કરે છે. ઓવૈસીએ માત્ર કોંગ્રેસ પર જ નહીં પરંતુ ભાજપ પર પણ નિશાન સાધ્યું અને જણાવ્યું કે તેઓ સતત બંધારણ વિરૂદ્ધ કામ કરે છે, દેશમાં તેનો ખોટો સંદેશો જઇ રહ્યો છે. અમે આશા રાખીએ છીએ કે શાસક પક્ષે બંધારણ વિરુદ્ધ કંઈ પણ ન કરવું જોઈએ.
જમ્મુ-કાશ્મીરની રાજકીય પરિસ્થિતિ અંગે જણાવતા ઓવૈસી જણાવ્યું કે રાજ્યની સ્થિતિ ભાજપ-પીડીપી ગઠબંધનના કારણે વધુ ખરાબ થઇ છે. આ વિસ્તારમાં ઇન્ટરનેટ પર પ્રતિબંધો લગાવવામાં આવી રહ્યા છે.

Related posts

મંદિરનો મામલો જીતીશું અને કલમ ૩૭૦ દૂર થશે : સ્વામી

aapnugujarat

કુરૂક્ષેત્રમાંથી મોદીએ ૨૦૧૯ની ચૂંટણીનું ફુંક્યુ બ્યુગલ

aapnugujarat

સિડનીમાં અસામાજિક તત્વોએ હિન્દુ મંદિરમાં તોડફોડ કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1