વિદેશમાં જમા કાળા નાણાંને પરત લાવવાની કેન્દ્ર સરકારની ઝુંબેશને મોટી સફળતા સાંપડી છે. આવકવેરાવિભાગને અંદાજે ૭૦ દેશોમાં ભારતીયોનું કાળું નાણું છુપાયું હોવાનીમાહિતી મળી છે. વિભાગને વિદેશી લેવડ-દેવડ સાથે જોડાયેલી ૩૦ હજારથી વધુ જાણકારીઓ મળી છે જેમાં અનેક શંકાસ્પદ ગણાવવામાં આવી રહી છે.
શંકાસ્પદ લેવડ-દેવડને લઈને આવકવેરા વિભાગે તેમાંથી અંદાજે ૪૦૦ લોકોને નોટિસ ફટકારી છે. આવકવેરા વિભાગના સૂત્રોએ જણાવ્યું કે નાણાકીય માહિતીઓના આદાન-પ્રદાન કરાર હેઠળ અલગ-અલગ દેશો તરફથી આ જાણકારી આપવામાં આવી છે.
આવકવેરા વિભાગે સપ્ટેમ્બરમાં મળેલી આ જાણકારીના આધાર પર ગહન તપાસ અને કાર્યવાહી શરૂ કરીદીધી છે. જો કે વિભાગ એ માનીને ચાલી રહ્યો છે કે ૩૦ હજાર લેવડ-દેવડમાંથી તમામ કાળા નાણાની શ્રેણીમાં નથી આવતી. અમુક લેવડ-દેવડ કાયદેસર પણ હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે પાછલા થોડા વર્ષોમાં અલગ-અલગ દેશો સાથે ભારતે નાણાકીય જાણકારી આપવાના કરાર કર્યા છે જેના પાસેથી આ જાણકારીઓ મળી રહી છે.
ભારત અત્યાર સુધી ૮૦થી વધુ દેશો સાથે નાણાકીય લેવડ-દેવડની જાણકારી શેયર કરવાનો કરાર કરી ચૂક્યું છે. તેમાં સ્વિત્ઝરલેન્ડ સાથે ૨૧ ડિસેમ્બર-૨૦૧૭માં કરાર થયો હતો. આ હેઠળ જાન્યુઆરી-૨૦૧૯થી જાણકારી મળવાનું શરૂ થઈ જશે.