Aapnu Gujarat
Uncategorized

બાબરામાં દુષ્કાળના ડાકલા : ૫૭ ગામના સરપંચોએ રેલી યોજી

ગુજરાતમાં સામાન્ય વરસાદના કારણે અનેક જિલ્લામાં દુષ્કાળના ડાકલા વાગી રહ્યાં છે. તેમજ પાણી અને ઘાસચારાની અછતને કારણે પશુપાલકો હિજરત કરી રહ્યાં છે. દરમિયાન અમરેલીના બાબરા તાલુકાના ૫૭ ગામના સરપંચોએ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવાની માગ સાથે વિશાળ રેલી યોજીને સભા સંબોધી હતી.
ચોમાસામાં ઓછા વરસાદના કારણે જળાશયોમાં નવા પાણીની ઓછી આવક થઈ હતી. જેથી શિયાળાના આરંભ સાથે જ પાણી અને ઘાસચારાની વિક્ટ સમસ્યા સર્જાઈ છે. અછતની સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે અનેક તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કર્યા છે. ત્યારે અમરેલીમાં પણ ચોમાસામાં સામાન્ય વરસાદ થયો હતો. જેના કારણે ઘાસચારાના અભાવે પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે. તેમજ સિંચાઈના પાણીના અભાવે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે.
દરમિયાન બાબરા તાલુકાના ૫૭ જેટલા ગામના સરપંચોની વિશાળ રેલી યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો, પશુપાલકો જોડાયા હતા. તેમજ એક સભા યોજાઈ હતી. જેમાં તાલુકાને અછતગ્રહસ્ત જાહેર કરીને ખેડૂતોને યોગ્ય વળતર આપવા અને માલધારીઓને ઘાસચારો પુરો પાડવા માગ કરી છે.

Related posts

ગીર સોમનાથ જિલ્લાનાં લોકોને નર્મદા મહોત્સવમાં જોડાવા તક : કાવ્ય-નિબંધ, સ્લોગન સ્પર્ધામાં ભાગ લેવા તા. ૨પ જુલાઈ સુધીમાં www.narmadamahotsav.gujrat.gov.in પર નામ નોંધાવો

aapnugujarat

ગોંડલ નેશનલ હાઈવે પરથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

aapnugujarat

સોમનાથ ખાતે રન ફોર યુનિટીને લીલીઝંડી આપી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1