રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નેતા શરદ પવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વાક્બાણ છોડ્યા છે.
શરદ પવારે કહ્યું, ‘મોદી હંમેશા પોતાની જન સભાઓમાં કહેતા હોય છે કે એક પરિવારે આ દેશ પર રાજ કર્યું છે. હું તેમને જણાવવા માંગુ છુ કે, એ જ પરિવારે દેશ માટે ઘણુ બધુ બલિદાન પણ આપ્યુ છે.’
એનસીપી નેતા શરદ પવારે આગળ કહ્યું કે, ‘જવાહર લાલ નહેરુ ઘણી વખત જેલ ગયા છે અને આ વાતને બધા જ જાણે છે. દરેક વ્યક્તિ જાણે છે કે, કેવી રીતે ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની હત્યા થઈ હતી.’
શરદ પવારે વડાપ્રધાન મોદી પર પ્રહારો કરતા વિશેષમા કહ્યું કે, ‘તમે દેશના નાગરિકોને વિકાસના સપના બતાવ્યા હતા. સમગ્ર દેશના નાગરિકોએ વિકાસના સપના જોયા હતા પરંતુ થયુ શું? તેથી તમે ફક્ત એક પરિવારની વાત તો ના જ કરો.’
ઉલ્લેખનીય છે કે, એનસીપી નેતા શરદ પવારે ૨૦૧૯માં ભાજપને સત્તા પરથી દૂર રાખવા માટે વિપક્ષોને ગઠબંધન કરી લેવા માટે આગ્રહ કર્યો હતો.
મુંબઈમાં થોડા દિવસ પહેલા જ તેમણે એક પ્રાઈવેટ ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતા કહ્યું કે, તેઓ રાજનીતિમાં ગઠબંધનના પક્ષમાં છે અને તેઓ દરેક રાજ્ય ગઠબંધન કરી લે તેવુ ઈચ્છે છે. એનસીપીના નેતા શરદ પવારે ક્હ્યું કે, ૨૦૧૯માં વિપક્ષોના ગઠબંધનમાં અને ભાજપ સિવાયના બધા જ પક્ષોને એક મંચ પર લાવવામાં તેમનો સિંહફાળો હશે.