જમ્મૂ-કશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલાનું કહેવું છે કે રાજ્યની દશકો જૂની સમસ્યાનું એક માત્ર જ સમાધાન છે અને તે છે આઝાદી. શ્રીનગરમાં એક પ્રાંતીય બેઠકમાં ઓમર અબ્દુલાએ કહ્યુ્ં કે, જમ્મૂ-કશ્મીર એક વિશેષ રાજ્ય છે અને રાજ્યને પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે અને ક્ષેત્રીય આઝાદી માટે વિશેષ વ્યવસ્થા કરવાની જરૂર છે.
એમને આગળ કહ્યું કે, હવે સમય આવી ગયો છે કે ભારત સરકાર આઝાદીના પ્રસ્તાવને લાગુ કરે. દિન પ્રતિદિન ઘાટીની સ્થિતિ બદતર થઈ રહી છે. દરરોજ કોઈને કોઈના મરવાના સમાચાર આવે છે, જૂથ અથડામણ, અશાંતિ, ઘેરાવ, સર્ચ ઓપરેશન વગેરેના સમાચાર સામે આવે છે. એવું લાગે છે કે કશ્મીરમાં પણ સરકારની પકડ ઢીલી થઈ ચૂકી છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ઉણરએ પ્રમુખ્તા સાથે કહ્યું કે સ્વાયત્તતા જ એક વ્યવહારિક સમાધાન છે. ભારત સરકાર ઇચ્છે છે કે એ સ્વાયત્તતાન પ્રસ્તાવને લઇને કામ કરે. વર્ષો જૂની સમસ્યાનું આ એક જ સમાધાન છે.
પાછલી પોસ્ટ