કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે રવિવારે સીઆરપીએસની એક વિશિષ્ટ એકમ, રેપિડ ઍક્શન ફોર્સ આરએએફની ૨૬માં વર્ષગાંઠ પર કહ્યું કે કાશ્મીર આપણું છે, કાશ્મીર આપણું હતું અને આપણું જ રહશે. જમ્મુ કાશ્મીર ભારતનો અખંડ અંગ છે અને તે હંમેશા ભારતનો અંખડ અંગ રહેશે. તેમને કહ્યું કે દુનિયાની કોઈ તાકાત કાશ્મીરને આપણાથી છીનવી નથી શકતી. રાજનાથસિંહે કાશ્મીરના લોકો અને આતંકવાદીઓ સાથે લડાઈ દરમિયાન સંતુલન બનાવવાના પ્રયાસ માટે સીઆરપીએફ પ્રશંસા કરી હતી.ગૃહમંત્રીએ કહ્યું કે કાશ્મીરી યુવા કોઈ એવી હરકત કરે છે, જે તેમને ન કરવી જોઈએ, તેવું એટલા માટે કે તેમને કેટલાક લોકો ઉશ્કેરી રહ્યા છે. રાજનાથ સિંહે જમ્મુ કાશ્મીરમાં આંતકવાદી ઘટનાઓમાં ઘટાડો થયો છે. સુરક્ષા દળો આતંકવાદીઓને મુંહતોડ જવાબ આપી રહ્યા છે.
પાછલી પોસ્ટ