વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 68મા જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે વિરમગામ સસ્તા અનાજ વેપારી એસોસીએશન દ્વારા સોકલી ખાતે આયોજિત કાર્યક્રમમાં ખેડૂતોને 68 વૃક્ષો આપવામાં આવ્યા હતા અને ખેડૂતોને વૃક્ષ વાવણી, ઉછેરનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વિરમગામ શહેર ભાજપ પ્રમુખ નરેશ શાહ, અમદાવાદ જીલ્લા ભાજપ મહામંત્રી નવદિપ ડોડીયા, કિરીટસિંહ ગોહીલ, સસ્તા અનાજ વેપારી એસોસીએશનના સભ્યો સહીત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટી ના હોદ્દેદારો કાર્યકરો, ખેડુતો ઉપસ્થિત રહ્યા હતા અને અનોખી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 68મા જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
પાછલી પોસ્ટ