Aapnu Gujarat
ગુજરાત

શાળાના આચાર્યએ જ સગીર વિદ્યાર્થીઓ સાથે શારિરીક શોષણ કરતાં ચકચાર મચી

નર્મદામાં ગુરુ શિષ્યના પવિત્ર સંબંધને લાજાડતો બનાવ બન્યો છે. નર્મદા જિલ્લાની એક આશ્રમ શાળામાં આ અપવિત્ર ઘટના બની છે. આ ઘટનાની વાત વાયુ વેગે સમાજમાં પ્રસરતા લોકો રોષ દર્શાવી રહ્યાં છે. ઘટનાની વિગત એવી છે કે નર્મદા જિલ્લાની આશ્રમ શાળામાં ધોરણ ૬થી ૮માં અભ્યાસ કરતી આદિવાસી સગીર વિદ્યાર્થીઓ સાથે શાળાના જ આચાર્ય હર્ષદ જયંતિ પટેલે શારીરિક શોષણ કરવાનો કિસ્સો સામે આવતા ચકચાર મચી છે.
અજાણી વ્યક્તિએ બાલસુરક્ષા વિભાગ રાજપીપલાને ટેલિફોનિક જાણ કરી હતી. તેમજ તેઓ ૧૮૧ અભયમને સાથે લઇ આ બે ટીમોએ આશ્રમ શાળામાં જઈને ભોગ બનનાર બાળકીઓના નિવેદન લેતા શિક્ષકે ૪થી ૫ બાળકીઓ સાથે આવું કૃત્ય કર્યું હોવાનું બહાર આવ્યું હતું.
બાળકીઓનો આરોપ છે કે આ શિક્ષક વિધાર્થીઓને પોતાની મોટર સાઇકલ પર બેસાડીને શરીરના વિવિધ ભાગો પર હાથ મારી અડપલાં કરતો હતો. અને ત્યાંના શિક્ષકોના કહેવા મુજબ અગાઉ પણ આ શિક્ષકે અન્ય વિદ્યાર્થિનીઓ સાથે અડપલાં કરતા સંસ્થા દ્વારા માફી પત્ર પણ લખાવવામાં આવ્યું હતું.
જોકે આ નરાધમ શિક્ષકનું કરતૂત ન સુધરતાં આખરે જેલના સળિયા પાછળ જવાનો વારો આવ્યો છે. બાદમાં જિલ્લા બાળ સુરક્ષા એકમના મહિલા કર્મીઓએ પણ બાળકીઓની મુલાકાત લેતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. હાલ તો શિક્ષકની પોલીસે અટકાયત કરી છે. તો બીજી બાજુ સમગ્ર ફરિયાદની આગળની તપાસ પોલીસ કરી રહી છે. તેમજ લંપટ શિક્ષકની ધરપકડ કરી છે.

Related posts

આરોગ્ય વિભાગના અધિકારીઓ કોરોના ગાઇડલાઇન્સની ઐસી કી તૈસી કરી

editor

PM Modi welcomes Japanese PM Shinzo Abe, visits Sabarmati Ashram

aapnugujarat

અમદાવાદમાં ગેરકાયદે ડોમ, શેડ સહિત માળખા તોડવાનું શરૂ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1