ભારત બાદ શ્રીલંકાએ પણ એશિયા કપ માટે ટીમની જાહેરાત કરી હતી. એક તરફ ભારતીય ટીમમાંથી કેપ્ટન કોહલીને આરામ આપવામાં આવ્યો છે ત્યારે બીજી તરફ શ્રીલંકાની ટીમમાં આશરે એક વર્ષ બાદ તેના ફાસ્ટ બોલર લસિથ મલિંગાની વાપસી થઈ છે.વારંવાર ઈજાગ્રસ્ત બની જતાં ૩૫ વર્ષી મલિંગાએ ગત વર્ષે સપ્ટેમ્બરમાં ભારત સામે અંતિમ વન ડે રમી હતી. આ મેચમાં તેણે ૩૫ રન આપી ૧ વિકેટ લીધી હતી. મલિંગાની વન ડે ક્રિકેટમાં ૩૦૧ અને ટી૨૦ આંતરરાષ્ટ્રીયમાં ૯૦ વિકેટ છે.ટીમમાં દાનુષ્કા ગુલાતિલકાની વાપસી થઈ છે. સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ સીરિઝમાં ખરાબ વર્તન બદલ તેના પર પ્રતિબંધ લગાવાયો હતો. મલિંગાની સાથે દિલરુવાન પરેરા અને દુષ્માંથી ચમીરાની પણ વાપસી થઈ છે. પરેરાએ છેલ્લી વનડે એપ્રિલ ૨૦૧૭માં રમી હતી, જ્યારે ચમીરા પણ પાંચ મહિના બાદ વાપસી કરી રહ્યો છે.
પાછલી પોસ્ટ