Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

અમરનાથ દર્શન માટે ૧૪૮ શ્રદ્ધાળુની ટીમ રવાના

અમરનાથ દર્શન માટે આજે વહેલી પરોઢે ૧૪૮ શ્રદ્ધાળુઓની નાની ટુકડી રવાના થઇ હતી. આ ૧૪૮ શ્રદ્ધાળુઓમાં ૪૯ મહિલાનો સમાવેશ થાય છે. વહેલી પરોઢે આઠ વાહનોમાં આ શ્રદ્ધાળુઓ સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ભગવતીનગર બેઝકેમ્પથી રવાના થયા હતા. એક ગ્રુપ બાલતાલ બેઝકેમ્પ માટે અને અન્ય ગ્રુપ ૩૬ કિલોમીટર લાંબા પહેલગામ રુટ માટે રવાના થયું હતું. ભગવતીનગર યાત્રી નિવાસથી આ ટીમ રવાના કરવામાં આવી હતી. જુદા જુદા વાહનોમાં તમામ શ્રદ્ધાળુઓ ભારે ઉત્સાહ વચ્ચે રવાના થયા હતા. ૨૮મી જૂનના દિવસે અમરનાથયાત્રા શરૂ થયા બાદથી હજુ સુધી ૨૮૧૫૭૪થી વધુ શ્રદ્ધાળુઓ પવિત્ર ગુફામાં સ્થિત કુદરતી રીતે બનતા શિવલીંગના દર્શન કરી ચુક્યા છે. આ અમરનાથ યાત્રા ૨૬મી ઓગસ્ટના દિવસે રક્ષાબંધનના દિવસે પૂર્ણ થનાર છે. લાખો શ્રદ્ધાળુઓ પહેલાથી દર્શન કરી ચુક્યા છે અને હજુ લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉત્સુક બનેલા છે.જુદા જુદા કાફલામાં શ્રદ્ધાળુઓને રવાના કરવામાં આવી રહ્યા છે. તમામ ખરાબ સંજોગો હોવા છતાં ભારે ઉત્સાહ છે.હાલમાં અમરનાથ ગુફા તરફ દોરી જતાં બાલતાલ માર્ગ ઉપર ભારે વરસાદના લીધે હાલત કફોડી બની હતી. ૩૦મી જૂનના દિવસે દિવસ દરમિયાન યાત્રાને રોકવામાં આવી હતી. આજે સવારે સઘન સુરક્ષા વચ્ચે નવો જથ્થો રવાના કરવામાં આવ્યો હતો. અમરનાથ યાત્રામાં હજુ સુધી ૨૮૧૫૭૪ શ્રદ્ધાળુઓ દ્વારા દર્શન કરવામાં આવ્યા છે. સવારમાં સઘન સુરક્ષા વચ્ચે શ્રદ્ધાળુઓની ટુકડી રવાના થઇ હતી. કાશ્મીર ખીણ માટે જમ્મુથી શ્રદ્ધાળુઓની ટુકડી રવાના થઇ હતી. હજુ સુધી અમરનાથમાં શ્રદ્ધાળુઓ સતત પહોંચી રહ્યા છે. અમરનાથમાં બાબા બર્ફાનીના દર્શન કરવા માટે આજે સવારે શ્રદ્ધાળુઓની નવી ટુકડી રવાના કરવામા ંઆવી હતી. જુદા જુદા વાહનોમાં તમામ શ્રદ્ધાળુઓ સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે વહેલી પરોઢે રવાના થયા હતા. અમરનાથ યાત્રીઓને ટાર્ગેટ કરવામાં આવી શકે છે તેવા હેવાલ આવ્યા બાદથી ભારતીય સેના અને સુરક્ષા દળો સાવચેતીના વધારાના પગલા લઇ રહ્યા છે.
હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ હજુ પણ પહોંચી રહ્યા છે. દર્શન કરનાર શ્રદ્ધાળુઓનો આંકડો સતત વધી રહ્યો છે. બરફથી બનતા શિવલિંગના દર્શન માટે આ વખતે વધુ સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે. જો કે, આ વર્ષે લિંગમ વહેલીતકે ઓગળી જવાની પ્રક્રિયા શરૂ થઇ છે. શ્રદ્ધાળુઓની સંખ્યા વધારે હોવાથી આ સ્થિતિ સર્જાઈ છે.
બુડ્ડા અમરનાથ : ૯૦૯ શ્રદ્ધાળુની ટુકડી રવાના
પુછમાં સ્થિત બાબા બુડ્ડા અમરનાથ યાત્રા માટે શ્રદ્ધાળુઓની ત્રીજી ટુકડી સઘન સુરક્ષા વચ્ચે રવાના કરવામાં આવી હતી. જમ્મુના યાત્રી નિવાસ ભગવતીનગરથી શ્રદ્ધાળુઓની ટીમ જુદી જુદી ગાડીઓમાં રવાના થઇ હતી. જેમાં મહિલાઓ પણ સામેલ છે. આજે સવારે ૧૩૧ મહિલા સહિત ૯૦૯ શ્રદ્ધાળુઓની ત્રીજી ટુકડી રવાના થઇ હતી. પહાડી પૂચ જિલ્લામાં સ્થિત બુડ્ડા અમરનાથ મંદિરમાં દર્શન માટે ૨૨ વાહનોમાં આ શ્રદ્ધાળુઓ રવાના થયા હતા. નવેસરની બેંચ સાથે જ દેશના જુદા જુદા ભાગોમાં હજુ સુધી ૩૧૫૬ જેટલા શ્રદ્ધાળુઓ બેઝકેમ્પથી રવાના થઇ ચુક્યા છે. આ યાત્રા શરૂ થયા બાદથી જ અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નિયમિતરીતે શ્રદ્ધાળુઓની ટુકડી રવાના થઇ રહી છે.

Related posts

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીનો દાવો, દિવાળી સુધીમાં કોરોના કંટ્રોલમાં આવી જશે

editor

ભાજપ એક ચીટીંગબાજ પાર્ટી છે : મમતા બેનર્જી

editor

આજે ૫૯ બેઠકો પર મતદાન યોજાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1