Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

આજે ૫૯ બેઠકો પર મતદાન યોજાશે

લોકસભાની ચૂંટણીના છટ્ઠા તબક્કા માટે આવતીકાલે મતદાન યોજનાર છે. અભૂતપૂર્વ સુરક્ષા અને ભારે ઉત્સાહના માહોલમાં મતદાન યોજાનાર છે. લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં રાષ્ટ્રીય પાટનગર દિલ્હી અને હરિયાણા સહિત સાત રાજ્યોને આવરી લેતી લોકસભાની ૫૯ સીટ પર મતદાન યોજાનાર છે. આની તમામ તૈયારી કરી લેવામાં આવી છે. આ તબક્કામાં આશરે ૧૦ કરોડ ૧૬ લાખથી વધુ મતદારો ચૂંટણી મેદાનમાં રહેલા અનેક દિગ્ગજો સહિત ૯૭૯ ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરનાર છે. શાંતિપૂર્ણરીતે અને વ્યવસ્થિત મતદાનની ખાતરી કરવા માટે એક લાખ ૧૩ હજારથી વધારે મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. સાથે સાથે ત્રિપુરામાં પણ ૧૬૮ મતદાન કેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યા છે.આવતીકાલે છઠ્ઠા તબક્કાની ચૂંટણીમાં બિહારમાં આઠ, ઉત્તરપ્રદેશમાં ૧૪ સીટ પર મતદાન થનાર છે. દિલ્હીની તમામ સાતેય સીટ પર મતદાન થનાર છે. બંગાળમાં આઠ સીટ પર મતદાન થનાર છે. મધ્યપ્રદેશમાં આઠ સીટ પર મતદાન થશે. બે તબક્કામાં હવે કુલ ૧૧૮ સીટ પર મતદાન બાકી છે જેમાં આવતીકાલે ૫૯ સીટ પર મતદાન થયા બાદ લોકસભાની કુલ ૫૪૨ સીટ પૈકી ૪૮૩ સીટ પર મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવશે. ત્યારબાદ લોકસભાની બાકી રહેલી ૫૯ સીટ પર ૧૯મી મેના દિવસે સાતમા અને અંતિમ તબક્કામાં મતદાન થશે. હવે લોકસભાની ચૂંટણીની લાંબી પ્રક્રિયા પણ પૂર્ણ થવા આવી છે. લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં આવતીકાલે જે મહારથીના ભાવિનો ફેંસલો થનાર છે તેમાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ, કેન્દ્રિય પ્રધાન મેનકા ગાંધી, ઉત્તરપ્રદેશ સરકારના પ્રધાન રીટા બહુગુણા તેમજ ભોજપુરી સુપરસ્ટાર દિનેશલાલ નિરહુઆનો સમાવેશ થાય છે. ઉતરપ્રદેશની વાત કરવામા ંઆવે તો કુલ ૨.૫૩ કરોડ મતદારો રહેલા છે. જ્યારે ૧૭૭ ઉમેદવારો મેદાનમાં છે. તેમના રાજકીય ભાવિનો ફેંસલો કરવા માટે કુલ ૧૬૯૯૮ કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. જ્યારે મતદાન બુથની સંખ્યા ૨૯૦૭૬ રાખવામાં આવી છે.મતદાનને લઇને પંચ દ્વારા તમામ તૈયારી કરી લેવામાં આવી છે. આવી સ્થિતીમાં કો પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પુરતા પગલા પણ લેવામાં આવી રહ્યા છે. હજુ સુધી પાંચ તબક્કામાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે. આની સાથે જ ૪૨૫ સીટ પર મતદાનન પ્રક્રિયા પૂર્ણ થઇ ગઈ છે. હવે બાકીના બે તબક્કામાં ૧૧૮ સીટ પર મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે જે પૈકી સાત રાજ્યોને આવરી લેતી લોકસભાની ૫૯ સીટ પર આવતીકાલે મતદાન થનાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી માટેના કાર્યક્રમની ચૂંટણી પંચે ૧૦મી માર્ચના દિવસે જાહેરાત કરી દીધી હતી. આની સાથે લોકસભા ચૂંટણી માટેનું રણશિંગુ ફુંકાઈ ગયું હતું. ચૂંટણી પંચે લોકસભાની કુલ ૫૪૨ સીટો ઉપર સાત મની જાહેરાત કરી હતી જે સાત તબક્કામાં મતદાન યોજાનાર છે તે પૈકી પ્રથમ તબક્કામાં ૧૧મી એપ્રિલના દિવસે અને બીજા તબક્કામાં ૧૮મી એપ્રિલના દિવસે મતદાન થયું હતું. ત્રીજા તબક્કામાં ૨૩મી એપ્રિલના દિવસે મતદાન થયું હતું અને ૨૯મી એપ્રિલના દિવસે ચોથા ચોથા તબક્કામાં મતદાન થયુ હતુ.૧૯મી મેના દિવસે સાતમાં તબક્કામાં મતદાન થશે. તમામ તબક્કાની મતગણતરી એક સાથે ૨૩મી મેના દિવસે યોજાશે. આનો મતલબ એ થયો કે, ૧૭મીલોકસભામાં સત્તાની ચાવી કોની પાસે આવશે તે અંગેનો ફેંસલો ૨૩મી મેના દિવસે થશે. પ્રથમ તબક્કામાં ૨૦ રાજ્યોમાં ૯૧ સીટો ઉપર મતદાન થયુ હતુ. બીજા તબક્કામાં ૧૨ રાજ્યોની ૯૫ સીટ પર મતદાન થયું હતું. ત્રીજા તબક્કામાં ૧૨ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેતી ૧૧૬ સીટ પર મતદાન થયું હતું. છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યોની ૫૯ સીટો ઉપર મતદાન થશે જ્યારે સાતમા અને અંતિમ તબક્કા માટે આઠ રાજ્યોની ૫૯ સીટ ઉપર મતદાન થશે. અગાઉના ચારેય તબક્કાની જેમ પાંચમાં તબક્કાના મતદાન વેળા પણ તમામ મતદાન મથકો ઉપર વીવીપેટની વ્યવસ્થા કરવામાં આવનાર છે. આનાથી વોટરો એ બાબતને જાણી શકે છે કે તેમના મત યોગ્ય ઉમેદવારને પડ્યા છે કે કેમ. આ વખતે ઇવીએમની અનેક સ્તર પર સુરક્ષાની ખાતરી કરવામાઆવી છે. તમામ મતદાન કેન્દ્રો ઉપર આ વખતે સીસીટીવી કેમેરા પહેલાથી જ ગોઠવી દેવામાં આવ્યા હતા. જેના મારફતે મતદાન પર નજર રાખવામાં આવી રહી છે. ચૂંટણી પ્રક્રિયાની વિડિયોગ્રાફી કરવામાં આવી રહી છે. સામાન્ય ચૂંટણીમાં આ વખતે કુલ ૯૦ કરોડ મતદારો નોંધાયા છે. આ પ્રથમ એવી ચૂંટણી છે.૨૧મી સદીમાં જન્મેલા લોકો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. લોકસભાની ચૂંટણીને લઇને મતદારોમાં ઉત્સાહ દેખાઇ રહ્યો છે. ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે જુદા જુદા રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારકોએ પૂર્ણ તાકાત લગાવી દીધી હતી. દેશના જુદા જુદા ભાગોમાં મતદારોને પ્રભાવિત કરવા રેલી અને રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાને ચુંટણી પ્રચારના છેલ્લા દિવસે હરિયાણા, હિમાચલપ્રદેશ અને પંજાબમાં ઝંઝાવતી ચુંટણી પ્રચાર કર્યો હતો. ભાજપ પ્રમુખ અમિત શાહે હરિયાણામાં ઝંઝાવતી પ્રચાર કર્યો હતો. જ્યારે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ હિમાચલ અને ચંદીગઢમાં રેલીઓ યોજી હતી. કોંગ્રેસના જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધી વાઢેરાએ ઉત્તર પ્રદેશમાં ચુંટણી પ્રચાર કરીને મતદારોને પ્રભાવિત કરવાના પ્રયાસો કર્યા હતા. આવતીકાલે રવિવારના દિવસે છઠ્ઠા તબક્કામાં મતદાન યોજાયા બાદ સાતમાં અને અંતિમ તબક્કામાં ૧૯મી મેના દિવસે બાકીની સીટ પર મતદાન થશે.

Related posts

पशुवध नियम में बदलाव के सुझाव पर विचार कर रहा है केन्द्र

aapnugujarat

શેરબજારમાં ૭ પરિબળોની અસર રહેશે

aapnugujarat

હવે રિવેન્જ પોર્ન ઉપર વધુ કઠોર સજા કરવા વિચારણા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1