Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇન્ડોનેશિયા ભૂકંપ : મોતનો આંકડો વધી ૧૫૦ થયો

ઇન્ડોનેશિયામાં વિનાશકારી ભૂકંપમાં મોતનો આંકડો વધીને હવે ૧૫૦ ઉપર પહોંચી ગયો છે. ઘાયલ લોકો પૈકી કેટલાકની હાલત હજુ પણ ગંભીર છે. અસરગ્રસ્ત વિસ્તારમાં લોકો હજુ પણ અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જે લોકોના મકાનો નાશ પામ્યા છે તે લોકો રસ્તા પર આવી ગયા છે. તેમને તમામ સહાયતા તંત્ર દ્વારા આપવામાં આવી રહી છે. ઈન્ડોનેશિયાના લોમબાક દ્વિપમાં રવિવારે પ્રચંડ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેના કારણે ભારે તબાહી થઇ છે. રિકટર સ્કેલ ઉપર ભૂકંપની તીવ્રતા સાતથી વધુ રહી હતી. ભૂકંપનો આંચકો આવ્યા બાદ સુનામીની ચેતવણી પણ જારી કરવામાં આવી હતી જો કે આ ચેતવણી રદ કરવામાં આવ્યા બાદ લોકોની દહેશત કેટલાક અંશે દુર થઇ હતી. ભૂકંપનું કેન્દ્ર જમીનથી ૧૦ કિલોમીટર અંદર હતુ. એક સપ્તાહની અંદર જ બીજી વખત ભૂકંપનો આંચકો આવ્યો હતો. સપ્તાહ પહેલા જ અહીં ભૂંકપમાં ૧૭ લોકોના મોત થઈ ગયા હતા અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા. ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી. લોકોને દરિયાથી દુર રહેવા માટે કહેવામાં આવ્યું હતું. સુરક્ષિત સ્થળોએ ખસી જવા માટે કહેવામાં આવ્યું હતું. ઉંચાણવાળા વિસ્તારો પર જતા રહેવા કહેવામાં આવ્યું હતું. દહેશતમાં ન રહેવા માટે પણ કહેવામાં આવ્યું હતું. લામબાકના નિવાસીઓએ ક્યું હતું કે આંચકો એટલો પ્રચંડ હતો કે લોકો ઘરમાંથી બહાર દોડી ગયા હતા. લોકોમાં ભારે દહેશત દેખાઈ રહી હતી. એક સપ્તાહ પહેલા જ ૬.૪ની તીવ્રતાનો આંચકો આવ્યા હતો. જેમાં ૧૭ લોકોના મોત થયા હતા. સેંકડો ઈમારતોને નુકસાન થયું હતું. ઈન્ડોનેશિયા વિશ્વમાં એકમાત્ર એવો દેશ છે જે રીંગ ઓફ ફાયર ઉપર સ્થિત છે. જ્યાં કુદરતી હોનારતોની સંભાવના સૌથી વધારે રહે છે. ૨૦૦૪માં ઈન્ડોનેશિયાના સુમાત્રા દ્વિપ ઉપર ૯.૪ની તીવ્રતાનો પ્રચંડ આંચકો આવ્યો હતો. જેના કારણે વિનાશકારી સુનામીના લીધે વિશ્વના ૧૨ દેશોમાં નુકસાન થયું હતું. જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. આ સુનામીમાં ૨૨૦૦૦૦ લોકોના મોત થયા હતા. એકલા ઈન્ડોનેશિયામાં ૧૬૮૦૦૦ લોકોના મોત થયા હતા.

Related posts

દુનિયાના ઘણા બધા દેશો કોરોના સામેની જંગમાં વિરુદ્ધ દિશામ જઈ રહ્યા છે : WHO

editor

ભારતને ઝાટકો આપી શકે છે ઇરાન, પાકિસ્તાન માટે ચાબહારનાં દ્વાર ખોલ્યા

aapnugujarat

પાકિસ્તાનમાં ૬.૩ તીવ્રતાના ભૂકંપના આંચકાથી ખભળભાટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1