મહિલા આયોગે મોટી કાર્યવાહી કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આયોગ દ્વારા મુનિરકા વિસ્તારમાંથી ૧૬ છોકરીઓને બચાવી લેવામાં આવી છે. આ છોકરીઓને નેપાળથી અપહરણ કરીને લાવવામાં આવી હતી. જો કે, આ મામલે હાલ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
આ ઘટના અંગે મળતી જાણકારી અનુસાર ગત મોડી રાતે દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષા સ્વાતિ માલીવાલે આ સ્થળે છાપો મારેલ, જેમાં કેટલીક છોકરીઓને બચાવી લેવામાં આવી હતી. આ છોકરીઓ નેપાળથી લાવવામાં આવી હતી અને કુવૈત મોકલવામાં આવી રહી હતી.
આ છોકરીઓ પાસે રહેલા પાસપોર્ટ દલાલોએ છીનવી લીધા હતા અને એક બંધ ઓરડીમાં આ ૧૬ છોકરીઓને બંધ રાખવામાં આવી હતી.
જો કે, આ મામલે મળેલ જાણકારી અનુસાર આ સિલસિલો છેલ્લા ૮ મહિનાથી ચાલ્યો આવતો હતો. આપને જણાવી દઇએ કે, આ પહેલા ૭ છોકરીઓને થોડા સમય પહેલા જ કુવૈત માટે રવાના કરવામાં આવી હોવાનું ખુલવા પામેલ છે.
આપને જણાવી દઇએ કે, આ રેકેટનો પર્દાફાશ થયા બાદ દિલ્હીની મહિલા આયોગે રાજ્યના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને કેન્દ્ર પર ટ્વીટ કરીને આકરા પ્રહારો કર્યા હતા. જો કે, આ મામલે તપાસ સ્થાનિક પોલીસે શરૂ કરી છે જેમાં આગામી સમયમાં મોટી જાણકારી સામે આવવાની શક્યતા સેવાઇ રહી છે.
આગળની પોસ્ટ