જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે બારામુલા જિલ્લામાં આતંકવાદીઓને ઠાર કરવા બદલ સુરક્ષા દળોને શુભેચ્છા પાઠવી છે. જોકે ત્યારબાદ તેમણે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં આતંકવાદની સમસ્યાનો ઉકેલ મારી નાખવું નથી. તેમણે કહ્યું કે એક પણ વ્યક્તિ જેને ઠાર કરવામાં આવે છે, ભલે તે આતંકવાદી જ કેમ ન હોય તો તેના કારણ મને તકલીફ થાય છે. અમે ઇચ્છીએ છીએ કે તમામ કાશ્મીરી બાળકો શસ્ત્રોનો માર્ગ છોડીને મુખ્યધારામાં પાછા આવે.
તેમણે કહ્યું કે અમે પ્રયાસ કરી રહ્યા છીએ કે આ બાળકોને પુનર્વાસની સારી તક આપવામાં આવે. હત્યા કોઈ ઉપાય નથી કારણ કે આતંકવાદ બંદૂકમાં નહીં, પરંતુ મનુષ્યના મનમાં છે. સુરક્ષા દળોએ તાજેતરના દિવસોમાં ગજબનું કામ કર્યું છે. રાજ્યપાલ મલિકનું આ નિવેદન એવા સમય પર આવ્યું છે, જ્યારે સુરક્ષાદળોએ હિઝબુલના ગઢ કહેનાર કાશ્મીરના બારામુલા જિલ્લાને આતંકથી મુક્ત અપાવી છે.