Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

આતંકીઓને ઠાર કરવામાં આવે છે તો તકલીફ થાય છેઃ સત્યપાલ મલિક

જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે બારામુલા જિલ્લામાં આતંકવાદીઓને ઠાર કરવા બદલ સુરક્ષા દળોને શુભેચ્છા પાઠવી છે. જોકે ત્યારબાદ તેમણે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં આતંકવાદની સમસ્યાનો ઉકેલ મારી નાખવું નથી. તેમણે કહ્યું કે એક પણ વ્યક્તિ જેને ઠાર કરવામાં આવે છે, ભલે તે આતંકવાદી જ કેમ ન હોય તો તેના કારણ મને તકલીફ થાય છે. અમે ઇચ્છીએ છીએ કે તમામ કાશ્મીરી બાળકો શસ્ત્રોનો માર્ગ છોડીને મુખ્યધારામાં પાછા આવે.
તેમણે કહ્યું કે અમે પ્રયાસ કરી રહ્યા છીએ કે આ બાળકોને પુનર્વાસની સારી તક આપવામાં આવે. હત્યા કોઈ ઉપાય નથી કારણ કે આતંકવાદ બંદૂકમાં નહીં, પરંતુ મનુષ્યના મનમાં છે. સુરક્ષા દળોએ તાજેતરના દિવસોમાં ગજબનું કામ કર્યું છે. રાજ્યપાલ મલિકનું આ નિવેદન એવા સમય પર આવ્યું છે, જ્યારે સુરક્ષાદળોએ હિઝબુલના ગઢ કહેનાર કાશ્મીરના બારામુલા જિલ્લાને આતંકથી મુક્ત અપાવી છે.

Related posts

ભાજપ બધાંને આઇટીથી ડરાવવા માંગે છેઃ અહેમદ પટેલ

aapnugujarat

પુલવામામાં થયેલા હુમલાનો મુદ્દો લોકસભામાં પણ ગુંજ્યો

aapnugujarat

ઓગસ્ટમાં કોરોનાની ત્રીજી લહેર આવશે

editor

Leave a Comment

UA-96247877-1