Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

સેન્સેક્સમાં ૧૪૫ પોઈન્ટનો સુધારો

શેરબજારમાં આજે તેજીનો માહોલ રહ્યો હતો. કારોબારના અંતે સેંસેક્સ ૧૪૫ પોઇન્ટ ઉછળીને ૩૬૪૯૬ની ઉંચી સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૫૩ પોઇન્ટ ઉછળીને ૧૧૦૧૦ની ઉંચી સપાટીએ રહ્યો હતો. તેમાં ઉલ્લેખની તેજી રહી હતી. નિફ્ટી આઈટી ઇન્ડેક્સ ૧.૫ ટકા ઉછળીને બંધ રહ્યો હતો. ઇન્ફોસીસ, ટેક મહિન્દ્રા, એચસીએલમાં ૧.૬-૨.૬ ટકા વચ્ચેનો ઉછાળો નોંધાયો હતો. સનફાર્મા અને સિપ્લામાં ૨.૫ ટકાથી વધુનો ઉછાળો નોંધાયો હતો. બજાજ ફાઈનાન્સમાં પણ તેજી રહી હતી. અવિશ્વાસ દરખાસ્ત પર ચર્ચા વચ્ચે આજે તેજી રહી હતી. હોલસેલ પ્રાઈઝ ઉપર આધારિત ફુગાવાનો આંકડો હાલમાં જારી કરવામાં આવ્યો હતો. શાકભાજી અને ફ્યુઅલની ચીજવસ્તુઓની કિંમતોમાં વધારો થવાના પરિણામ સ્વરૂપે જૂન મહિનામાં હોલસેલ પ્રાઈઝ ઉપર આધારીત ફુગાવો વધીને ૫.૭૭ ટકા સુધી પહોંચી ગયો હતો. મે મહિનામાં હોલસેલ પ્રાઈઝ ઈન્ડેક્સ આધારીત ફુગાવો (ડબલ્યુપીઆઈ) ૪.૪૩ ટકા રહ્યો હતો. ગયા વર્ષે જૂન મહિનામાં આ આંકડો ૦.૯૦ ટકા હતો. કંપનીના પરિણામનોને લઇને પણ ઉત્સુકતા જોવા મળી રહી છે. વિપ્રો, બજાજ ઓટો, એમસીએક્સ, એચડીએફસી સ્ટાન્ડર્ડ લાઇફના પરિણામ ૨૦મી જુલાઈના દિવસે ઘોષિત થશે. આઇપીઓ બજારમાં જોરદાર તેજી રહેવાના સંકેત દેખાઈ રહ્યા છે. ૧૪૦૦૦ કરોડના આઈપીઓને લઇને દલાલસ્ટ્રીટ તૈયાર છે. એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ, લોધા ડેવલપર્સ સહિત ઓછામાં ઓછી સાત કંપનીઓ આગામી સપ્તાહમાં મૂડી માર્કેટમાં આઈપીઓ સાથે એન્ટ્રી કરવા માટે તૈયાર છે. અન્ય જે છ કંપનીઓ આઈપીઓ લાવવા માટેની તૈયારી કરી ચુકી છે તેમાં લોધા ડેવલપર્સ, એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ, નેકાંતિ સી ફુડ્‌સ, ફ્લેમિંગો ટ્રાવેલ, પટેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જીનિયસ કન્સલટન્સનો સમાવેશ થાય છે. મર્ચંટ બેંકિંગ સોર્સના કહેવા મુજબ આગામી સપ્તાહમાં આ તમામ કંપનીઓ દ્વારા તેમના સંબંધિત આઈપીઓ લાવવામાં આવનાર છે.પ્રવાહી સ્થિતી હોવાના કારણે કારોબારી રોકાણઁના મુડમાં નથી. ૮૦ અબજ રૂપિયાની મૂડી પીએનબી સહિત છ બેંકોમાં ઠાલવવામાં આવનાર છે તેવા અહેવાલથી તેજી જામી હતી. નિરવ મોદી કૌભાંડના પરિણામ સ્વરુપે પીએનબી બેંક હચમચી ઉઠી હતી. સરકાર તરફથી ૮૦ અબજ રૂપિયાની મૂડી ઠાલવવામાં આવનાર છે. શેરબજારમાં ગઇકાલે ગુરૂવારના દિવસે ફ્લેટ કારોબાર જોવા મળ્યો હતો. ગુરૂવારના દિવસે કારોબારના અંતે સેંસેક્સ ૨૨ પોઇન્ટ ઘટીને ૩૬૩૫૧ની નીચી સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૨૩ પોઇન્ટ ઘટીને ૧૦૯૫૭ની નીચી સપાટીએ રહ્યો હતો. શેરબજારમાં પ્રવાહી સ્થિતી માટે કેટલાક પરિબળો જવાબદાર દેખાઇ રહ્યા છે. જેના કારણે રોકાણકારો મુડીરોકાણ કરવાના મુડમાં દેખાઇ રહ્યા નથી. રોકાણકારો સ્થિર સ્થિતીની રાહ જોઇ રહ્યા છે. શેરબજારમાં આજે સ્થિતિ સાનુકુળ રહી હતી. સરકાર વિશ્વાસમત જીતી જશે તેવી આશા વચ્ચે તેજી જામી હતી. શેરબજારમાં હાલ તેજીનો માહોલ અકબંધ રહી શકે છે. આજે તીવ્ર તેજી માટે કંપનીઓના પરિણામો પણ જવાબદાર રહ્યા હતા. પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામ બજાજ ગ્રુપ દ્વારા જારી કરાયા હતા.

Related posts

શેરબજારમાં કર્ણાટક ચૂંટણીના પરિણામની અસર રહેશે

aapnugujarat

રાંચી જેલમાં લાલૂને માળીનું કામ મળ્યું

aapnugujarat

હવે બેંક ઓફ બરોડાની લોન સસ્તી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1