Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સુનંદા પ્રકરણ : શશી થરુરને જામીન મળતા રાહત્

સુનંદા પુષ્કર કેસમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂરને આજે મોટી રાહત મળી હતી. કારણ કે દિલ્હીની પટિયાળા કોર્ટે થરૂરને આગોતરા જામીન આપી દીધા હતા. સાતમી જુલાઇના દિવસે થરૂરને કોર્ટ સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યુ છે.અગાઉ તેમના પત્નિ સુનંદા પુષ્કરના મોતના મામલામાં દિલ્હીની પટિયાલા હાઉસકોર્ટ દ્વારા શશી થરુરને આરોપી તરીકે ગણ્યા હતા. પાચમી જુનના દિવસે દિલ્હી કોર્ટે કોંગ્રેસના સાંસદ સામે સમન્સ જારી કરી દીધું હતુ. જેના ભાગરુપે એક આરોપી તરીકે સાતમી જુલાઈના દિવસે દિલ્હી કોર્ટમાં હાજર થવુ પડશે. કોર્ટે ચાર્જશીટના આધાર પર શશી થરુરને આત્મહત્યા માટે ઉશ્કેરવામાં આરોપી તરીકે ગણાવીને શશી થરુર સામે સમન્સ જારી કર્યું હતુ. શશી થરુર ઉપર હવે ટ્રાયલ શરૂ થશે અને સાતમી જુલાઈના દિવસે તેમને કોર્ટમાં ઉપસ્થિત થવું પડશે. તે પહેલા દિલ્હી પોલીસે ૩૦૦૦ પાનાની ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી હતી જેના આધાર પર કોર્ટે શશી થરુરને આરોપી તરીકે ગણ્યા છે. આ મામલામાં અનેક વખત કોંગ્રેસી નેતાની લાંબી પુછપરછ પણ થઇ ચુકી છે. કોર્ટે એમ પણ કહ્યું છે કે, સુનંદા પુષ્કરના મોતના મામલામાં શશી થરુર સામે કેસ ચલાવવા માટે પુરતા આધાર અને પુરાવા છે. કોર્ટે દિલ્હી પોલીસને પ્રશ્ન કરતા કહ્યું છે કે, ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીની અરજી ઉપર દિલ્હી પોલીસ જવાબ દાખલ કરવા ઇચ્છે છે કેમ. જો કે, દિલ્હી પોલીસના વકીલનું કહેવું છે કે, આવું કરવાની બાબત હાલમાં વહેલીતકે રહેશે. સુબ્રમણ્યમ સ્વામી સુનંદા પુષ્કરના મોત બાદથી કોંગ્રેસ સાંસદ શશી થરુર ઉપર આક્ષેપબાજી કરતા રહ્યા છે. સ્વામીનું તો એમ પણ કહેવું છે કે, સુનંદાની હત્યામાં શશી થરુરનો હાથ રહેલો છે. આ મામલામાં દિલ્હી પોલીસે પટિયાલા હાઉસ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. સુનંદા ૧૭મી જાન્યુઆરી ૨૦૧૪ના દિવસે ચાણક્યપુરી સ્થિત ફાઈવસ્ટાર હોટલ લીલા પેલેસના મકાન નંબર ૩૪૫માં મૃત હાલતમાં મળી આવી હતી. મોતને પહેલા આત્મહત્યા તરીકે ગણાવવામાં આવી હતી પરંતુ એક વર્ષ બાદ વિસરા રિપોર્ટ આવ્યા બાદ પોલીસે વણઓળખાયેલા લોકોની સામે હત્યાની કલમો ઉમેરીને તપાસ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૮મી મેના દિવસે મેટ્રો પોલિટન મેજિસ્ટ્રેટ ધર્મેન્દ્રસિંહ સમક્ષ આ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. ચાર્જશીટ ૩૦૦૦ પાનામાં હતી. પટિયાલા હાઉસ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યા બાદ કોંગ્રેસના નેતા ઉપર આક્ષેપબાજીનો દોર શરૂ થઇ ગયો હતો. પોલીસે કહ્યું હતું કે, આ કેસ આત્મહત્યાનો છે. મર્ડરનો કેસ નથી. આઈપીસીની કલમ ૩૦૨ હેઠળ આ કેસ દાખલ કરવામાં આવ્યો આવ્યો હતો. દિલ્હી પોલીસે જે ચાર્જશીટ દાખલ કરી હતી તેમાં જુદી જુદી કલમો રાખવામાં આવી હતી જેમાં કલમ ૩૦૬ અને ૪૯૮એનો સમાવેશ થાય છે. દિલ્હી પોલીસે કલમ ૩૦૬ હેઠળ શશી થરુર પર સુનંદાને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આક્ષેપ કરાયો હતો. આ ઉપરાંત સ્થાનિક હિંસા અથવા તો પત્ની સાથે ક્રૂરતાની કલમ ૪૯૮એનો પણ ચાર્જશીટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ટીવી રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, સ્થાનિક લડાઈ ઝઘડા અને શશી થરુર સાથે સારા સંબંધ ન હોવાના લીધે સુનંદાને આત્મહત્યા તરફ દોરી જવાની ફરજ પડી હતી.

Related posts

સોશિયલ મિડિયાનો ઉપયોગ યોગ્ય રીતે કરવા મોદીની સલાહ

aapnugujarat

કોલંબિયા પર પેનલ્ટી શુટ આઉટમાં ઇંગ્લેન્ડની જીત

aapnugujarat

गन्ना किसानों को एक्सपोर्ट सब्सिडी को कैबिनेट की मंजूरी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1