આજરોજ કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવેઝ, શીપીંગ, કેમિકલ્સ અને ફર્ટીલાઈઝર્સ મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ નડિયાદ ખાતે દાંડી હેરીટેજ માર્ગ પરના એક સેક્શન ‘નડિયાદ-ભૂમેલ’ માર્ગના વિસ્તૃતિકરણ અને મજબુતીકરણ કામનું ખાતમુહુર્ત કરેલ છે. રૂ. ૨૬ કરોડના ખર્ચે આ માર્ગનું કામ હાથ ધરવામાં આવશે. આ પ્રસંગે સંબોધન કરતા માનનીય મંત્રીશ્રીએ જણાવેલ કે વર્ષ ૨૦૦૫માં તત્કાલીન વડાપ્રધાન શ્રી મનમોહન સિંહજીએ દાંડી માર્ગને ‘હેરીટેજ માર્ગ’ તરીકે વિકસાવવાની જાહેરાત કરેલી હતી. પરંતુ વર્ષ ૨૦૧૪ સુધીમાં આ માર્ગનું માત્ર રીસરફેસિંગ જ કરવામાં આવ્યું, પરંતુ આ માર્ગનો વિસ્તૃતીકરણ કે મજબુતીકરણ થયેલ નહિ. તેથી ખરા અર્થમાં હેરીટેજ માર્ગ તરીકે વિકસાવવાની વાત સાર્થક થયેલ ન હતી. આજરોજ કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવેઝ, શીપીંગ, કેમિકલ્સ અને ફર્ટીલાઈઝર્સ મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ નડિયાદ ખાતે દાંડી હેરીટેજ માર્ગ પરના એક સેક્શન ‘નડિયાદ-ભૂમેલ’ માર્ગના વિસ્તૃતિકરણ અને મજબુતીકરણ કામનું ખાતમુહુર્ત કરેલ છે. રૂ. ૨૬ કરોડના ખર્ચે આ માર્ગનું કામ હાથ ધરવામાં આવશે. આ પ્રસંગે સંબોધન કરતા માનનીય મંત્રીશ્રીએ જણાવેલ કે વર્ષ ૨૦૦૫માં તત્કાલીન વડાપ્રધાન શ્રી મનમોહન સિંહજીએ દાંડી માર્ગને ‘હેરીટેજ માર્ગ’ તરીકે વિકસાવવાની જાહેરાત કરેલી હતી. પરંતુ વર્ષ ૨૦૧૪ સુધીમાં આ માર્ગનું માત્ર રીસરફેસિંગ જ કરવામાં આવ્યું, પરંતુ આ માર્ગનો વિસ્તૃતીકરણ કે મજબુતીકરણ થયેલ નહિ. તેથી ખરા અર્થમાં હેરીટેજ માર્ગ તરીકે વિકસાવવાની વાત સાર્થક થયેલ ન હતી.
પાછલી પોસ્ટ