Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

FPI દ્વારા ઇક્વિટી માર્કેટમાં ૨૨૪૧ કરોડ ઠાલવી દેવાયા

વિદેશી મૂડીરોકાણકારોએ છેલ્લા છ કારોબારી સેશનમાં જુદા જુદા હકારાત્મક પરિબળો વચ્ચે ૨૨૦૦ કરોડ રૂપિયા ભારતીય ઇક્વિટી માર્કેટમાં ઠાલવી દીધા છે. વૈશ્વિક ક્રૂડ ઓઇલની કિંમતમાં ઘટાડો થયા બાદ તથા કોર્પોરેટ કમાણીના આંકડા સુધરી ગયા બાદ નવી આશા જાગી છે. છેલ્લા બે મહિનાના ગાળા દરમિયાન વિદેશી મૂડીરોકાણકારોએ ઇક્વિટીમાંથી ૧૬૬૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા. માર્ચ મહિનામાં વિદેશી મૂડીરોકાણકારોએ ૧૧૬૫૫ કરોડ રૂપિયા ઠાલવી દીધા હતા. આવા મૂડીરોકાણકારોનું વલણ હાલમાં ખુબ જ અસ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ઇક્વિટીમાં એફપીઆઈ દ્વારા પહેલી જૂનથી લઇને આઠમી જૂન વચ્ચેના ગાળામાં મૂડીરોકાણનો આંકડો ૨૨૪૧ કરોડ રહ્યો છે જ્યારે આ ગાળા દરમિયાન ડેબ્ટ માર્કેટમાંથી ૪૦૫ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા છે. ભારતીય ઇક્વિટીમાં એફપીઆઈ દ્વારા જુન ૨૦૧૮માં લેવાલી રહી છે. મોનસુનની સિઝન અને ખરીફ સિઝન આશાસ્પદ દેખાઈ રહી છે ત્યારે વિદેશી રોકાણકારો આશાસ્પદ દેખાઈ રહ્યા છે. નવેસરના ડેટા દર્શાવે છે કે, વિદેશી રોકાણકારોએ મે મહિનામાં ઇક્વિટીમાંથી ૧૦૦૬૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા જ્યારે ડેબ્ટ માર્કેટમાંથી ૧૯૬૫૪ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા. આની સાથે જ કુલ ૨૯૭૧૪ કરોડ રૂપિયા અથવા તો ૪.૪ અબજ ડોલર પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. નવેમ્બર ૨૦૧૬ બાદથી મૂડીમાર્કેટમાંથી સૌથી જંગી નાણા પાછા ખેંચાયા છે. નવેમ્બર ૨૦૧૬માં એફપીઆઈ દ્વારા ૩૯૩૯૬ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. માર્ચ મહિનામાં ઇક્વિટીમાં ૧૧૬૫૪ કરોડ રૂપિયા ઠાલવવામાં આવ્યા બાદ આ સ્થિતિ સર્જાઈ છે. માર્ચ મહિનામાં ડેબ્ટ માર્કેટમાંથી ૯૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા હતા તે પહેલા વિદેશી મૂડીરોકાણકારોએ ફેબ્રુઆરી મહિનામાં દેશના મૂડી માર્કેટ (ઇક્વિટી અને ડેબ્ટ)માંથી ૧૧૬૭૪ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા. ડિસેમ્બર ૨૦૧૬ બાદથી મૂડીમાર્કેટમાંથી સૌથી જંગી નાણા પાછા ખેંચવામાં આવ્યા હતા. ડિસેમ્બર ૨૦૧૬માં એફપીઆઈ દ્વારા ૨૭૦૦૦ કરોડ પાછા ખેંચવામાં આવ્યા હતા. રાજ્ય વિધાનસભાની ચૂંટણી પહેલા એફપીઆઈ દ્વારા પ્રોફિટ બુકિંગની સ્થિતિ સર્જવામાં આવી છે. માર્કેટ નિષ્ણાતો માને છે કે, રૂપિયાની નબળી સ્થિતિ, વૈશ્વિક ક્રૂડ ઓઇલની કિંમતમાં અનિશ્ચિતતા અને અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધોના પરિણામ સ્વરુપે વિદેશી મૂડીરોકાણકારો ઉપર અસર થઇ છે. વિદેશી રોકાણકારો વધારે સાવધાન થયા છે. સ્થાનિક રાજકીય ઘટનાક્રમોની સ્થિતિ રહેલી છે. એફપીઆઈ દ્વારા ભારતમાં ઇક્વિટીમાંથી જંગી નાણા પાછા ખેંચવામાં આવી રહ્યા છે. એફપીઆઈના ભાગરુપે ઉભરતા બજારમાં સાવધાનીપૂર્વકનું વલણ અપનાવવામાં આવી રહ્યું છે. શેરબજારમાં આવતીકાલથી શરૂ થતા નવા કારોબારી સેશનમાં એકબાજુ માર્કેટ મૂડી વધારવા માટે કંપનીઓ વચ્ચે સીધી સ્પર્ધા રહેશે.

Related posts

शिक्षक दिवस के मौके पर कांग्रेस अध्यक्ष ने देश भर के शिक्षकों को बधाई दी

aapnugujarat

રેલવેની કેટરિંગ સેવા પર પાંચ ટકા જીએસટી રહેશે

aapnugujarat

७० लाख युवाओं को पांच साल में रोजगार देंगे : योगी आदित्यनाथ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1