Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

આંધી-તોફાનનું ફરી તાંડવ : ૪૦થી વધુનાં મોત

ભીષણ ગરમી વચ્ચે હવે ફરી એકવાર આંધી-તોફાન અને વરસાદે તાંડવ મચાવી દેતા ૩૨થી વધારે લોકોના મોત થયા છે અને સેંકડો લોકો ઘાયલ થયા છે. આંધી તોફાનના કારણે ભારે નુકસાન પણ થયુ છે. બિહાર, ઝારખંડ અને ઉત્તરપ્રદેશના કેટલાક ભાગોમાં મોડી રાત્રે આંધી અને તોફાન તેમજ વરસાદના કારણે ભારે નુકસાન થયુ છે. સૌથી વધારે નુકસાન બિહારમાં થયુ છે. જ્યાં હજુ સુધી ૧૭ લોકોના મોત થઇ ગયા છે. બીજી બાજુ ઝારખંડમાં ૧૪ લોકો લોકોના મોત થયા છે. ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં વિજળી પડવાના કારણે પાંચ લોકોના મોત થયા છે. બેહાલ કરી રહેલી ગરમી વચ્ચે સોમવારે સાંજે વરસાદની શરૂઆત થઇ હતી. જેના કારણે ઉત્તર ભારતમાં કેટલાક વિસ્તારોમાં પારો ગગડી ગયો હતો. જો કે આંધી-તોફાનના કારણે ભારે નુકસાન થયુ છે. જુદા જુદા વિસ્તારોમાં ૪૦થી પણ વધારે લોકોના મોત થઇ ગયા છે. મિડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે બિહારમાં સૌથી વધારે નુકસાન થયુ છે.
અહીં ૧૭ લોકોના મોતના અહેવાલને સમર્થન મળી ચુક્યુ છે. ઘાયલ થયેલા લોકોને સારવાર આપવામાં આવી રહી છે. આંધી અને તોફાનના કારણે મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા. સૌથી વધારે નુકસાન ઔરંગાબાદમાં થયુ છે. જ્યાં પાંચ લોકો આંધી અને તોફાનના સંકજામાં આવી ગયા હતા. આ ઉપરાંત કટિહાર, નવાદા, મુંગેર, રોહતાસ પણ ભારે નુકસાન થયુ છે. આંધી તોફાનના કારણે ઉત્તરપ્રદેશને પણ અસર થઇ હતી. ઉન્નાવ જિલ્લામાં વીજળી પડવાથી પાંચ લોકોના મોત થયા હતા. બીજી બાજુ કેટલીક જગ્યાએ પાણી ભરઇ ગયા હતા. વૃક્ષો ધરાશાયી થવાના કારણે ટ્રાફિક જામની સ્થિતી સર્જાઇ હતી. આંધી તોફાનના એક દિવસ બાદ તંત્ર દ્વારા રાહત કામગીરી જારી રાખવામાં આવી હતી. મે મહિનામા પ્રચંડ તોફાન અને વરસાદથી છ રાજ્યોમાં ૧૩૦તી પણ વધારે લોકોના મોત થઇ ચુક્યા છે. આની સાથે જ એપ્રિલ બાદથી તોફાનોમાં મોતનો આંકડો ૩૧૮ ઉપર પહોંચ્યો છે. મેના પ્રથમ બે સપ્તાહમાં મોતનો આંકડો ૨૨૩ રહ્યો હતો.જ્યારે એપ્રિલ મહિનામાં ૫૫ લોકોના મોત થયા હતા. ગયા વર્ષે વાવાઝોડામાં ૧૯૭ના મોત થયા હતા જ્યારે ૨૦૧૬માં ૨૧૬ના મોત થયા હતા. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલા આંકડા ઉપર આ બાબત આધારિત છે. હવામાન વિભાગનું પણ કહેવું છે કે, છેલ્લા પાંચ સપ્તાહમાં ઉત્તર ભારતમાં તોફાન અભૂતપૂર્વ રહ્યું છે. મોનસુનની સિઝનમાં પણ ઉત્તરભારતમાં વરસાદ અને વાવાઝોડુ આવતું રહે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ સામાન્યરીતે આ સ્થિતિ સર્જાય છે પરંતુ આ વખતે વહેલીતકે આ સ્થિતિ જોવા મળી રહી છે. અત્રે નોંધનીય છે કે, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ અને રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં ધૂળભરેલા તોફાન અને વરસાદના લીધે ૧૩મી અને ૧૪મી મેના દિવસે ભારે નુકસાન થયું હતું. સંપત્તિને અભૂતપૂર્વ નુકસાન પણ થયું હતું. એકલા ઉત્તરપ્રદેશમાં સૌથી વધારે નુકસાન થયું હતુ.જ્યાં ૩૯ લોકોના મોત થઇ ગયા હતા. બંગાળમાં ચાર, આંધ્રમાં નવ અને દિલ્હીમાં એકનું મોત થયું હતું. હિમાચલ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, મધ્યપ્રદેશ, ઝારખંડ, આસામ, મેઘાલય, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ અને તમિળનાડુમાં પણ અનેક જગ્યાઓએ વરસાદ થયો હતો. થોડાક દિવસ પહેલા જ પ્રચંડ તોફાન અને વરસાદના કારણે ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા, ઉત્તરાખંડ અને પંજાબમાં ૧૩૪ લોકોના મોત થયા હતા અને ૪૦૦ લોકો ઘાયલ થયા હતા. એકલા ઉત્તરપ્રદેશમાં સૌથી વધારે ૮૦ લોકોના મોત થયા હતા. ઉત્તરપ્રદેશમાં પણ આગરામાં સૌથી વધુ નુકસાન થયું હતું. નવમી મેના દિવસે ઉત્તરપ્રદેશના કેટલાક ભાગોમાં ફરી પ્રચંડ આંધી તોફાનમાં ૧૮ લોકોના મોત થયા હતા અને ૨૭ લોકો ઘાયલ થયા હતા. છેલ્લા ચાર સપ્તાહના ગાળામાં જ આંધી તોફાન અને પ્રંચડ વાવાઝોડા તેમજ વરસાદ સંબંધિત બનાવમાં ૨૦૦થી પણ વધુ લોકોના મોત થઇ ગયા છે અને હજારો લોકો ઘાયલ થયા છે. મે મહિનામાં વારંવાર આંધી અને તોફાનની સ્થિતી સર્જાઇ છે.

Related posts

FPI દ્વારા મે મહિનામાં ૩૨૦૭ કરોડ પાછા ખેંચાયા

aapnugujarat

लंदन में नीरव मोदी की जमानत याचिका पर सुनवाई शुरू

aapnugujarat

राहुल गांधी पर भड़के मनोज तिवारी, बोले – दुनिया का सबसे ‘कन्फ्यूज नेता’ किसानों को कर रहा गुमराह

editor

Leave a Comment

UA-96247877-1