હિમાચલપ્રદેશના કાંગરા જિલ્લાના નુરપુર વિસ્તારમાં એક સ્કુલી બસ ઉંડી ખીણમાં ખાબકી જતાં ૨૭ બાળકો સહિત ૩૦ના મોત થઇ ગયા છે. તાજેતરના સમયની સૌથી મોટી બસ દુર્ઘટના તરીકે આને જોવામાં આવે છે. આજે સાંજે ૪.૩૦ વાગ્યાની આસપાસ આ દુર્ઘટના બની હતી. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી. ઘટના સ્થળે એનડીઆરએફની ટીમ પણ તરત પહોંચી ગઈ હતી. હિમાચલ પ્રદેશના શિક્ષણમંત્રી સુરેશ ભારદ્વાજે બનાવ અંગે માહિતી આપતા કહ્યું હતું કે, મોતનો આંકડો ૨૭થી ઉપર પહોંચી ગયો છે. આ પહેલા રાજ્યના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે બનાવ અંગે દુખ વ્યક્ત કરીને સમગ્ર મામલામાં મેજિસ્ટ્રેટ તપાસનો આદેશ કર્યો હતો. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આ દુર્ઘટનામાં મોટી સંખ્યામાં બાળકોના મોત થયા છે. એનડીઆરએફની ટીમને તરત ઘટના સ્થળે મોકલવામાં આવી હતી. કાંગરા પોલીસના અધિકારીએ કહ્યું છે કે, આ ઘટના જિલ્લા હેડક્વાર્ટરથી આશરે ૮૦ કિલોમીટરના અંતરે બની હતી. બનાવની જાણ થતાં તરત જ પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. આ બસ વજીરરામસિંહ પબ્લિક સ્કુલની હતી. લપસી ગયા બાદ બસ ખીણમાં ખાબકી હતી. અકસ્માતમાં એક ડ્રાઈવર અને એક શિક્ષકે પણ જાન ગુમાવ્યા છે આ ઉપરાંત ૧૫ લોકો ગંભીર હાલતમાં છે. બસ બાળકોને ઘરે મૂકવા જતી હતી ત્યારે દુર્ઘટના સર્જાઈ હતી. જાણકારી મુજબ આ બસમાં કુલ ૪૦ બાળકો હતા. સ્થાનિક લોકોના મુજબ આ ઘટના ૩ વાગ્યાની નજીકે નૂરપુર વિસ્તારમાં આવેલા ચેંદી ગામની પાસે થઈ હતી. મીડિયા રિપોર્ટ મુજબ આ સ્કૂલ બસ વજીર રામ સિંહ પઠાનિયા મેમોરિયલ સ્કૂલની હતી. આ ઘટના એટલી બધી દુખદ હતી કે બસમાં ફંસાયેલા કેટલાક બાળકોને ગેસ કટરથી કાપીને બહાર કઢાયા હતા. જયરામ ઠાકુરે તપાસના આદેશ આપ્યું છે.