Aapnu Gujarat
ગુજરાત

સ્વાઈન ફ્લુથી ગુજરાતમાં ૨૦૧૮માં છ દર્દીનાં મોત થયા

સ્વાઈન ફ્લુના કારણે ગુજરાતમાં વર્ષ ૨૦૧૭માં ૭૭૦૯ કેસો નોંધાયા હતા અને ૪૩૧ લોકોના મોત થયા હતા જ્યારે વર્ષ ૨૦૧૮ની વાત કરવામાં આવે તો ચોથી માર્ચ સુધી સ્વાઈન ફ્લુના ૩૬ કેસ નોંધાઈ ચુક્યા છે અને છ લોકોના મોત થઇ ચુક્યા છે. સ્વાઈન ફ્લુના કેસોની સંખ્યા વર્ષ ૨૦૧૭માં ગુજરાતમાં જે કેસ નોંધાયા તેના કરતા મહારાષ્ટ્રમાં ઓછી હતી પરંતુ મહારાષ્ટ્રમાં સ્વાઈન ફ્લુના કારણે ગુજરાત કરતા વધુ લોકોના મોત થયા હતા. વર્ષ ૨૦૧૭માં મહારાષ્ટ્રમાં સ્વાઈન ફ્લુથી ૭૭૮ના મોત થયા હતા જ્યારે વર્ષ ૨૦૧૮માં સ્વાઈન ફ્લુના કારણે પાંચ લોકોના મોત થઇ ચુક્યા છે અને ૧૯ કેસ નોંધાઈ ચુક્યા છે. આવી જ રીતે ગુજરાતમાં ૨૦૧૮માં સ્વાઈન ફ્લુથી છના મોત થયા છે અને ૩૬ કેસો નોંધાયા છે.

Related posts

વિરમઞામ તાલુકા પંચાયતનાં 3 સભ્યોને પક્ષ વિરોધી કામ કરવા બદલ કોંગ્રેસ પ્રમુખ દ્રારા સસ્પેન્ડ કરવા નોટીસ પાઠવવામાં આવી

aapnugujarat

बम मिलने के प्रकरण में क्राइम ब्रांच ने मां-पुत्र की गिरफ्तार की

aapnugujarat

યુપીમાં ખેડૂતના મોત સંદર્ભે સુરેન્દ્રનગરમાં ભારે રોષ

editor

Leave a Comment

UA-96247877-1