સ્વાઈન ફ્લુના કારણે ગુજરાતમાં વર્ષ ૨૦૧૭માં ૭૭૦૯ કેસો નોંધાયા હતા અને ૪૩૧ લોકોના મોત થયા હતા જ્યારે વર્ષ ૨૦૧૮ની વાત કરવામાં આવે તો ચોથી માર્ચ સુધી સ્વાઈન ફ્લુના ૩૬ કેસ નોંધાઈ ચુક્યા છે અને છ લોકોના મોત થઇ ચુક્યા છે. સ્વાઈન ફ્લુના કેસોની સંખ્યા વર્ષ ૨૦૧૭માં ગુજરાતમાં જે કેસ નોંધાયા તેના કરતા મહારાષ્ટ્રમાં ઓછી હતી પરંતુ મહારાષ્ટ્રમાં સ્વાઈન ફ્લુના કારણે ગુજરાત કરતા વધુ લોકોના મોત થયા હતા. વર્ષ ૨૦૧૭માં મહારાષ્ટ્રમાં સ્વાઈન ફ્લુથી ૭૭૮ના મોત થયા હતા જ્યારે વર્ષ ૨૦૧૮માં સ્વાઈન ફ્લુના કારણે પાંચ લોકોના મોત થઇ ચુક્યા છે અને ૧૯ કેસ નોંધાઈ ચુક્યા છે. આવી જ રીતે ગુજરાતમાં ૨૦૧૮માં સ્વાઈન ફ્લુથી છના મોત થયા છે અને ૩૬ કેસો નોંધાયા છે.
પાછલી પોસ્ટ