Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ગુલામ નબી આઝાદે ભાજપને દેશની બહાર પૈસા મોકલવા માટે જવાબદાર ગણાવ્યું

ભાજપે સોમવારે બેંક કૌભાંડ મામલે કોંગ્રેસને જવાબદાર ગણાવ્યું અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને ભૂતપૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમ પર પ્રહાર કર્યા હતા. જેના જવાબમાં કોંગ્રેસે પણ ભાજપ પર પલટવાર કર્યો અને ભાજપને દેશની બહાર પૈસા મોકલવા માટે જવાબદાર ગણાવ્યું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ ગુલામ નબી આઝાદે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ વિદેશમાં રહેલા કાળા નાણાં લાવવાનું વચન આપ્યું હતું, તેઓ કાળું નાણું તો લાવી ન શકયા પરંતુ દેશની જનતા દ્વારા મહેનતથી કમાણી કરેલા સફેદ નાણાંને દેશની બહાર જરૂર મોકલી રહ્યા છે. તેમણે નીરવ મોદીના વિદેશ ભાગી જવા મામલે કેન્દ્ર સરકારને જવાબદાર ગણાવી છે. ગુલામ નબી આઝાદે કહ્યું કે, વડાપ્રધાન મોદી વિદેશનો પ્રવાસ કરે છે. ભાજપ કહે છે કે વડાપ્રધાન વિદેશમાં ઘણાં પ્રખ્યાત છે. જો તેઓ એટલા જ પ્રખ્યાત છે અને તેમની લોકપ્રિયતા વધુ છે તો બેંક કૌભાંડ કરીને વિદેશ ભાગી ગયેલા લોકોને ભારત લાવવામાં કેમ તેનો ઉપયોગ નથી કરી રહ્યા?
તેમણે સાથે જ કહ્યું કે, લોકો બેંક કૌભાંડ કરી જનતાના કરોડો રૂપિયા લઇને આરામથી વિદેશમાં રહેવા લાગે છે. વડાપ્રધાન તેમની વિદેશ નીતિ અને લોકપ્રિયતાનો ઉપયોગ આવા ભાગેડુંઓને પાછા લાવવા માટે કેમ કરતાં નથી.અત્રે નોંધનીય છે કે ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કોંગ્રેસને તમામ બેંક કૌભાંડ માટે મુખ્ય આરોપી ગણાવી છે. તેમને ત્યારે જ કહ્યું કે, ભાજપના શાસન દરમિયાન એક પણ એનપીએ થઇ નથી. પી. ચિદમ્બરમ દ્વારા પોતાના અધિકારોનો ઉપયોગ કરી ૭ પ્રાઇવેટ કંપનીઓને ગોલ્ડ સ્કીમનો લાભ આપ્યો હતો.

Related posts

महबूबा मुफ्ती और बेटी इल्तिजा को फिर किया गया नजरबंद

editor

चंद्रयान-2 असफल नहीं, वैज्ञानिक-तकनीकी दोनों मोर्चों पर रहा सफल : सरकार

aapnugujarat

પાકિસ્તાન – ચીનનું વલણ બદલાયું નથી : Mohan Bhagwat

editor

Leave a Comment

UA-96247877-1