સંરક્ષણ પ્રધાન નિર્મલા સિતારમણે સ્પષ્ટ કર્યું છે કે જાહેર ક્ષેત્રની હિંદુસ્તાન એરોનેટિક્સ લિમિટેડે તેજસ લડાકુ વિમાનનું ઉત્પાદન વધારવું પડશે. તેમણે ભારપૂર્વક કહ્યું કે સરકારે કોઈ અન્ય લડાકુ જેટને લઈને આ પરિયોજના છોડી નથી. જોકે એચએએલ વર્ષે લગભગ આઠ તેજસ વિમાનોનું ઉત્પાદન કરી રહી છે. સંરક્ષણ મંત્રાલય આ સિંગલ એન્જીન બહુ ભૂમિકાવાળા વિમાનનું ઉત્પાદન વધારીને ૧૮ વિમાન વર્ષભરમાં તૈયાર કરવા ઈચ્છે છે. ભારતીય વાયુ સેના પાસે હાલ ૩૧ લડાકુ વિમાન છે. સંરક્ષણ પ્રધાન નિર્મલા સિતારમણનું આ નિવેદન સંરક્ષણ પ્રતિષ્ઠાનોના એ રિપોર્ટ દરમિયાન આવ્યું કે તેજસ વાયુસેનાની યુદ્ધ તૈયારીઓ માટે પર્યાપ્ત નથી. અને તેને કોઈપણ સંભવિત પડકારને પહોંચી વળવા તાત્કાલીક વિદેશી સિંગલ એન્જીનવાળા લડાકૂ વિમાનની વધુ જરૂર છે.