Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

દયાશંકરસિંહને ભાજપ આપશે રાજ્યસભા ચૂંટણીની ટિકિટ

બસપા સુપ્રીમો માયાવતી પર અભદ્ર ટિપ્પણી કરનાર ભાજપ નેતા દયાશંકરસિંહે ફરી મોટુ ઈનામ મળી શકે છે. ભાજપે પહેલા જ દયાશંકર સિંહને પ્રદેશ ઉપાધ્યક્ષ બનાવ્યા છે અને હવે પૂર્વાંચલ કોટેથી દયાશંકરસિંહને રાજ્યસભા મોકલવાની તૈયારી ચાલી રહી છે.
સંસદીય ચૂંટણી ૨૦૧૯માં ક્ષેત્રીય વોટ બેન્કને મજબૂત કરવા માટે જ ભાજપે ખાસ ચેહરાને રાજ્યસભાની ટિકિટ આપવાનું નક્કી કર્યું છે.
ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ દયાશંકરસિંહ તે સમયે ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેમણે માયાવતી વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી. જે બાદ રાજકીય તોફાન મચી ગયુ હતુ.
બસપા સુપ્રીમો માયાવતીથી લઈને તેમના પાર્ટીના કાર્યકર્તાઓએ દયાશંકરસિંહના નિવેદનને લઈને ભાજપ પર હુમલો કર્યો હતો. યુપી ચૂંટણી ૨૦૧૭ પહેલા દલિત વોટ બેન્ક વિખરાઈ જવાના ડરથી ભાજપે દયાશંકરસિંહને પાર્ટીમાંથી કાઢી મૂકાયા હતા. દયાશંકરસિંહની પત્ની સ્વાતિ સિંહે માયાવતી વિરુદ્ધ મોર્ચો ખોલીને ભાજપની મુસીબતો ઓછી કરી હતી.
યુપી ચૂંટણી ૨૦૧૭માં ભાજપને મળેલા પ્રચંડ બહુમત બાદ ખાનગીરીતે દયાશંકર સિંહની ભગવા પાર્ટીમાં વાપસી કરવામાં આવી હતી. જે બાદ તેમણે પ્રદેશ ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા અને હવે રાજ્યસભા મોકલવાની તૈયારી ચાલી રહી છે.

Related posts

ધરતીપુત્ર બનશે રાજ્યનો આગામી સીએમ, મમતા રાજીનામુ તૈયાર રાખે : અમિત શાહ

editor

शोपियां में सुरक्षाबलों ने 4 आतंकियों को किया ढेर

aapnugujarat

ભારતીય વૈજ્ઞાનિકોએ સૂર્યથી ૨ કરોડ અબજ ગણા મોટા ગેલેક્સીઝ ‘સરસ્વતી’ની શોધ કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1