પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન અને ૮૦ના દશકના દુનિયાના શ્રેષ્ઠ બેટ્સમેન જાવેદ મિંયાદાદ પણ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની પ્રશંસા કર્યા વગર રહી શક્યા નથી. વિરાટ કોહલીની બેટિંગથી પ્રભાવિત મિંયાદાદે કહ્યુ છે કે વિરાટ કોહલી જીનિયસ છે અને દુનિયાનો શ્રેષ્ઠ બેટ્સમેન છે. મિંયાદાદે કહ્યુહતુ કે કોહલી ટેકનિકની દ્રષ્ટિએ એટલો મજબુત ખેલાડી છે કે તે મુશ્કેલ સ્થિતીમાંથી ભારતને બચાવી લે છે અને જીત અપાવે છે. મિંયાદાદે પોતાના સમયમાં ૩૫૭ આંતરરાષ્ટ્રીય મેચોમાં ૧૬૨૧૩ રન કર્યા હતા. જાવેદ મિંયાદાદ પાકિસ્તાનનો આધારસ્તંભ તરીકે હતો. મિંયાદાદે પોતાના સમયમાં જ ૨૩૩ મેચમાં ૪૧ રનની સરેરાશ સાથે ૭૩૮૧ રન કર્યા હતા.
પાછલી પોસ્ટ