Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદ શહેરમાં પાણીજન્ય અને ઇન્ફેક્શનના કેસોમાં વધારો

અમદાવાદ શહેરમાં મિશ્ર સ્થિતિ વચ્ચે મચ્છરજન્ય અને પાણીજન્ય કેસો ફરી એકવાર સપાટી ઉપર આવ્યા છે. વર્ષ ૨૦૧૮ની શરૂઆત થયા બાદથી હજુ સુધી સાદા મેલેરિયાના ૩૩ કેસો સપાટી ઉપર આવી ચુક્યા છે. વર્ષ ૨૦૧૭માં સાદા મેલેરિયાના ૯૨૯૭ કેસો નોંધાયા હતા. બીજી બાજુ પાણીજન્ય કેસોની વાત કરવામાં આવે તો માત્ર ૨૭ દિવસના ગાળામાં જ ઝાડા ઉલ્ટીના ૪૨૩ કેસ નોંધાઈ ચુક્યા છે. કમળાના ૧૫૯ અને ટાઈફોઇડના ૧૩૯ કેસ સપાટી ઉપર આવ્યા છે. જાન્યુઆરી ૨૦૧૭ દરમિયાન લેવામાં આવેલા ૫૪૩૦૨ લોહીના નમૂના સામે વર્ષ ૨૦૧૮માં જાન્યુઆરી સુધીમાં ૬૯૯૭૪ લોહીના નમૂનાની તપાસ કરવામાં આવી ચુકી છે. હેલ્થ ફ્લાઇંગ સ્કવોર્ડ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં જાન્યુઆરી મહિનામાં ૧૦૮ અલગ અલગ ખાદ્ય પદાર્થોના નમૂના લેવાયા છે જેમાં તપાસ કરાઈ રહી છે. અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં સતત ફેરફાર થવાના કારણે રોગચાળાના કેસોમાં વધારો થયો છે. આ અંગેની વિગત એવી છે કે,સમગ્ર રાજયની સાથે અમદાવાદ શહેરમાં પણ લઘુત્તમ તાપમાનમાં છેલ્લા કેટલાક દિવસોથી નોંધપાત્ર ફેરફાર થયા છે. આમ આ મોસમમાં મચ્છરજન્ય રોગના કેસોની સંખ્યા વધવી જોઈએ એના બદલે અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગના કેસો વધવા પામતા મ્યુનિસિપલ તંત્રની બેદરકારી છતી થવા પામી છે.ગત વર્ષે પણ અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગની સ્થિતિ લોકોની ફરિયાદોનો સમયસર નિકાલ ન થવાના કારણે વકરવા પામી હતી.મ્યુનિસિપલ કમિશનરે પણ ગત વર્ષે ઈજનેર અને હેલ્થ વિભાગના અધિકારીઓને શહેરના વિવિધ વિસ્તારોમાંથી મળતી પોલ્યુશનની ફરિયાદોનો સમયસર નિકાલ કરવા મામલે અનેક વખત રિવ્યુ બેઠકમાં ઠપકો પણ આપ્યો હતો.આમ છતાં પણ મ્યુનિસિપલ તંત્રમાં ફરજ બજાવતા અધિકારીઓ સામે લાલ આંખ કરવામાં આવી ન હતી. અમદાવાદ શહેરમાં આ વર્ષની શરૂઆતથી માત્ર ૨૭ દિવસની અંદર જ ઝાડા ઉલ્ટીના કુલ મળીને ૪૨૩ જેટલા કેસ નોંધાવા પામ્યા છે.આ ઉપરાંત પાણીજન્ય એવા કમળાના પણ ૨૭ દિવસની અંદર ૧૫૯ જેટલા કેસ નોંધાવા પામ્યા છે.ઉપરાંત ટાઈફોઈડના કુલ ૧૩૯ કેસ નોંધાવા પામ્યા છે. શહેરમાં મચ્છરજન્ય રોગના કેસની સ્થિતિ અંગે જાણવા મળ્યું છે કે, ૨૭ દિવસમાં મેલેરીયાના ૩૩ કેસ અને ઝેરી મેલેરીયાના ૧૮ અને ડેન્ગ્યુના ૨૨ કેસ સપાટી ઉપર આવવા પામ્યો છે.

Related posts

વડાપ્રધાન મોદી આજે ગુજરાતમાં : બે જાહેરસભા સંબોધવા તૈયાર

aapnugujarat

मोदी के नेतृत्व में इमानदारी की ओर चल पडा : रुपाणी

aapnugujarat

મોટા સમાચાર: પાટીદાર આગેવાન નરેશ પટેલ આજે મીડિયાને કરશે સંબધોન, કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1