રાજકોટના ગોંડલ નજીક મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નિકળતા કરોડોની મગફળીનો જથ્થો નાશ પામ્યો હોવાના સમાચાર મળ્યા છે. આગ ફાટી નિકળ્યાની માહિતી મળ્યા બાદ આસપાસના વિસ્તારોમાંથી તરત જ ફાયર બ્રિગેડની ટુકડી પહોંચી હતી પરંતુ કલાકોના ગાળા બાદ પણ આગ ઉપર કાબૂ મેળવી શકાયો ન હતો. મળેલી માહિતી મુજબ આ સરકારી ગોડાઉનમાં બે લાખ બોરી મગફળીનો જથ્થો હતો જે સરકારે ટેકાના ભાવે ખેડૂતો પાસેથી ખરીદ્યો હતો. કરોડની મગફળીનો જથ્થો આગમાં સ્વાહા થઇ ગયા બાદ આ સમગ્ર મામલામાં તપાસનો આદેશ કરાયો છે. જો કે, આગ લાગવા માટેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જાણકાર લોકોના કહેવા મુજબ આગ ઉપર કાબૂ મેળવવામાં હજુ પણ કલાકોનો સમય લાગશે.
પાછલી પોસ્ટ