બનાસકાંઠાના ડિસામાં નગરપાલિકાની જનરલ બોર્ડની સભા મળી હતી. જેમાં સુરક્ષા જવાનો અને વિધવા મહિલાના ઘર વેરા માફ માટેની દરખાસ્ત કરવામાં આવી હતી. જેમાં શાસક અને વિપક્ષે સર્વાનુમતે દરખાસ્તને મંજૂરી આપી હતી. પાલિકાના પ્રમુખે ગુજરાતની તમામ પાલિકાએ વિધવા અને જવાનોના વેરા માફ કરવા જોઈએ. તેવી અપીલ કરી હતી.સમગ્ર રાજ્યમાં હાલ કોઇ નગર પાલિકામાં આવી વ્યવસ્થા નથી. આ૫ણા રક્ષણ માટે પોતાના જીવની બાજી લગાવી દેનાર તેમજ તમામ સુખ-સુવિધા છોડીને સરહદે દૂર્ગમ વિસ્તારમાં ચોકી ૫હેરો ભરતા સેનાના જવાનો પ્રત્યે ઋણ અદા કરવા માટે આ નિર્ણય લેવાયો હોવાનું ડીસા પાલિકાના સભ્યોએ જણાવ્યું હતું. બીજી કોઇ સહાય ન થાય તો ૫ણ રાજ્યની દરેક પાલિકા આવો નિર્ણય કરે તો ગુજરાત સમગ્ર દેશમાં ૫હેલ કરનારૂ સૌપ્રથમ રાજ્ય બની રહેશે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ