Aapnu Gujarat
ગુજરાત

ધોળકામાં જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ

અમદાવાદના ધોળકામાં મલાવ તળાવના બગીચા પાસે જાહેરમાં હોસ્પિટલો દ્વારા બાયોમેડિકલ વેસ્ટ કચરો નાંખવામાં આવી રહ્યો છે. જેથી સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.આ હોસ્પિટલો દ્વારા નંખાતા કચરાથી રોગચાળો ફેલાવાની ભીતી સ્થાનિકોને સતાવી રહી છે. સાથે સાથે રખડતી ગાયો પણ આ કચરાને ખાતી જોવા મળે છે. જો કે શહેરના જાગૃત નાગરિકો દ્વારા આ અંગે તંત્રને લેખિતમાં ફરીયાદ કરવામાં આવશે. દવાખાનામાંથી નિકળતા બાયોમેડિકલ વેસ્ટના નિકાલ માટે સરકાર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ માર્ગદર્શિકા અનુસાર જ જોખમી કચરાનો નિકાલ કરવાનો હોય છે. ૫રંતુ ધોળકાના તબીબો સરકારના નિયમોને ઘોળીને પી ગયા હોય તેવી હાલત જોવા મળી રહી છે.

Related posts

ગુજરાતમાં આસારામની ૧૦ જિલ્લામાં જમીનો છે : રિપોર્ટ

aapnugujarat

રાષ્ટ્રીય આદિજાતિ આયોગના સભ્યશ્રી હર્ષદભાઇ વસાવાના અધ્યક્ષપદે આદિજાતિ કલ્યાણની વિવિધ યોજનાકીય વિકાસકામોની યોજાયેલી સમીક્ષા બેઠક

aapnugujarat

અડાલજ વાવ જોવા પ્રવાસીને રૂપિયા ૨૫ ચૂકવવાના રહેશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1