અમદાવાદના ધોળકામાં મલાવ તળાવના બગીચા પાસે જાહેરમાં હોસ્પિટલો દ્વારા બાયોમેડિકલ વેસ્ટ કચરો નાંખવામાં આવી રહ્યો છે. જેથી સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.આ હોસ્પિટલો દ્વારા નંખાતા કચરાથી રોગચાળો ફેલાવાની ભીતી સ્થાનિકોને સતાવી રહી છે. સાથે સાથે રખડતી ગાયો પણ આ કચરાને ખાતી જોવા મળે છે. જો કે શહેરના જાગૃત નાગરિકો દ્વારા આ અંગે તંત્રને લેખિતમાં ફરીયાદ કરવામાં આવશે. દવાખાનામાંથી નિકળતા બાયોમેડિકલ વેસ્ટના નિકાલ માટે સરકાર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ માર્ગદર્શિકા અનુસાર જ જોખમી કચરાનો નિકાલ કરવાનો હોય છે. ૫રંતુ ધોળકાના તબીબો સરકારના નિયમોને ઘોળીને પી ગયા હોય તેવી હાલત જોવા મળી રહી છે.