અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઇ તાલુકાના ઘરોડિયા ગામ પાસે કેનાલમાં યુવક-યુવતીના રહસ્યમય સંજોગોમાં ડૂબી જવાથી મોત નીપજતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. જો કે, યુવક-યુવતીના મોતની ઘટનાએ એકબાજુ સમગ્ર પંથકમાં અનેક અટકળો અને તર્ક વિતર્ક સર્જયા છે, તો બીજીબાજુ, સ્થાનિક ગ્રામજનોમાં બનાવને લઇ ભારે શોક અને અરેરાટીની લાગણી પણ ફેલાઇ ગઇ હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઇના ઘરોડિયા ગામ નજીકથી પસાર થતી કેનાલમાં એક યુવક-યુવતી રહસ્યમય સંજોગોમાં ડૂબેલી હાલતમાં મળી આવ્યા હતા. સ્થાનિક ગ્રામજનોનું ધ્યાન જતાં ભારે મહેનત બાદ બંને યુવક-યુવતીઓને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને તાત્કાલિક તબીબી સારવાર અપાવવાનો પ્રયાસ થયો હતો પરંતુ બંને જણાંને મૃત જાહેર કરાયા હતા. કેનાલમાં ડૂબી જવાના કારણે યુવક-યુવતીઓના કરૂણ મોતના સમાચારને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. સ્થાનિક ગ્રામજનોએ યુવક-યુવતીઓના મૃતદેહ બહાર કાઢયા હતા. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. યુવક-યુવતીના આ પ્રકારે કેનાલમાં ડૂબી જવાના મોત પ્રકરણમાં રહસ્યના અનેક તાણાંવાણાં સર્જાયા હોઇ પોલીસે પણ મામલાની ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી સાચુ કારણ શોધવાની દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. તો, આ બનાવને પગલે સ્થાનિક ગ્રામજનોમાં ભારે શોક અને અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ છે.
આગળની પોસ્ટ