મુલાયમસિંહ યાદવ આ વખતે સંસદીય ક્ષેત્ર મૈનપુરીમાંથી ચૂંટણી લડશે. જ્યારે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ કન્નોજમાંથી ચૂંટણી લડવા માટે ઇચ્છુક છે. હાલમાં આ સીટ ઉપર તેમના પત્નિ ડિમ્પલ યાદવ સાંસદ તરીકે છે. અખિલેશ યાદવે પોતે જાનેશ્વર મિશ્રની પુણ્યતિથિ ઉપર આ મુજબની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, કન્નોજથી સાંસદ તરીકે ચૂંટણી લડવા માટે તેઓ તૈયાર છે. જો કે, અંતિમ નિર્ણય પાર્ટ કરશે. મુલાયમસિંહ હાલમાં ઉત્તર પ્રદેશની આઝમગઢ સીટ પરથી સાંસદ તરકે છે. મુલાયમસિંહે હાલમાં જ કહ્યું હતું કે, ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં મૈનપુરીમાંથી મેદાનમાં ઉતરશે. અખિલેશ યાદવે કહ્યું હતું કે, પોતાના કાકાને તેઓ મિડિયાના માધ્યમથી અભિનંદન આપે છે અને જન્મદિવસની શુભેચ્છા પાઠવે છે.
પાછલી પોસ્ટ